સપ્ટેમ્બર 17, 2024 3:17 પી એમ(PM)

views 20

આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ

આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે અનંત ચતુર્દશી છે. દસ દિવસ બાપ્પાની પૂજા, અર્ચના અને આરાધના બાદ આજે સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ ભક્તો ભારે હૈયે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરો, નગરો અને ગામડાઓમાં આ વિસર્જન થઇ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત સુધી તળાવો, કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવશે. બીજી તરફ, તાપી જિલ્લામાં અલગ અલગ મંડળો દ્વારા 500થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વ્યારા શહ...