ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM)

views 3

પંજાબનાં ખેડૂત સંગઠનો દ્વારા બંધના એલાનને પગલે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો

પાકના લઘુતમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરન્ટી સહિતની માંગ સાથે પંજાબનાં ખેડૂતો દ્વારા બંધના એલાનને મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે. વંદે ભારત અને શતાબ્દિ સહિતની 200થી વધુ ટ્રેનો પર અસર પડી છે. કેટલાંક શહેરો અને નગરોમાં મોટાં ભાગનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર બંધ રહ્યો છે, જેને કારણે રોજિંદા મુસાફરોને મુશ્કેલી પડી હતી. જો કે આવશ્યક સેવાઓ ચાલુ રહી છે. ખેડૂતો શેરીઓમાં આવીને દુકાનદારોને બંધ પાળવાની ફરજ પાડી રહ્યા છે. એક મહિનાથી પણ વધુ સમયથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલનાં સમર્થ...

ડિસેમ્બર 19, 2024 4:06 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:06 પી એમ(PM)

views 6

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતો માટે જાહેર કરાયેલા બે રાહત ભંડોળ અંતર્ગત દોઢ મહિનામાં 7 લાખ 15 હજારથી વધુ ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય રકમ સીધા તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ રીતે ગત પાંચ વર્ષમાં રાજ્યના 38 લાખ 98 હજારથી વધુ ખેડૂતોને 6 હજાર 204 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું...

ડિસેમ્બર 6, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:37 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજયસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ડાંગર, ઘઉં, બાજરી સહિત વિવિધ પાકોના ટેકાના ભાવે કરાયેલી ખરીદીની વિગતો આપી હતી. એમ.એસ.સ્વામીનાથમ સમિતિ દ્વારા કરાયેલી ભલામણો મુજબ વર્તમાન એનડીએ સરકારે કૃષિ ઉત્પાદન ખર્ચની સરખામણીએ 50 ટકા તો કેટલાક કિસ્સામાં 100 ટકા વધુ ટેકાના ભાવોના આધારે ખરીદી કરી છે. સ્વામીનાથન સમિતિની આ ભલામણોનો અગાઉની યુપીએ ...

નવેમ્બર 22, 2024 7:16 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:16 પી એમ(PM)

views 7

રાજ્યના ખેડૂત નોંધણી એટલે કે, ફાર્મર રજિસ્ટ્રી પૉર્ટલ એગ્રીસ્ટેક પર ટેક્નિકલ ખામી સર્જાતા તેમાં હાલ પૂરતી નોંધણી થઈ શકશે નહીં

રાજ્યના ખેડૂત નોંધણી એટલે કે, ફાર્મર રજિસ્ટ્રી પૉર્ટલ એગ્રીસ્ટેક પર ટેક્નિકલ ખામી સર્જાતા તેમાં હાલ પૂરતી નોંધણી થઈ શકશે નહીં. એમ રાજ્ય સરકારની એક યાદીમાં જણાવાયું છે. પૉર્ટલ પર ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને આ માટેની જાણ કરાશે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા 25 નવેમ્બર પહેલા નોંધણી ફરજિયાત પૂર્ણ કરવા જણાવાયું હતું, પરંતુ હાલમાં પૉર્ટલ પર ટેક્નિકલ ખામી સર્જાતા નોંધણી પ્રક્રિયા અટ...