માર્ચ 26, 2025 7:01 પી એમ(PM) માર્ચ 26, 2025 7:01 પી એમ(PM)

views 2

કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે

કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે. સૂચિત ખાણોમાંથી 13 કોલસા ખાણની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે. જ્યારે 12 ખાણની આંશિક તપાસ કરવામાં આવી છે.આ હરાજીનો ઉદ્દેશ સ્થાનિક અને આંતર-રાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિક કરવાનો છે, જેનાથી ઊર્જા અને ઔદ્યોગિક વિકાસમાં આત્મનિર્ભરતા માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન મળશે.