ડિસેમ્બર 20, 2024 9:15 એ એમ (AM)

views 17

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાતથી તેમણે ઘણી મળી છે. પત્રકારોએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી. કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળનાં સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીનાં નાયબ નિયામક, ડૉ.અથિરા થમ્પીએ મુખ્યમંત્રીન...

ડિસેમ્બર 19, 2024 7:40 પી એમ(PM)

views 14

રાજ્યનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીની મુલાકાત લીધી

રાજ્યનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીની મુલાકાત લીધી. બ્રિગેડ આંતર-રાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર BIFC ખાતે તેમણે ગિફ્ટ-નિફ્ટી અંગેનું પ્રેઝન્ટેશન નીહાળ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેસ માહિતી કાર્યાલય- PIBનાં નાયબ નિયામક આરોહી પટેલ,ઈન્દ્રવદનસિંહ ઝાલા સહિત PIBનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સપ્ટેમ્બર 12, 2024 8:27 પી એમ(PM)

views 15

કેરળમાં યોજાયેલા સંમેલનમાં બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓએ રાજ્યોને મળતા કરનો હિસ્સો વધારવાની માગ કરી

બિનભાજપ શાસિત રાજ્યોના નાણામંત્રીઓનું એક દિવસનું સંમેલન આજે કેરળના તિરુવનંથપુરમ્ ખાતે યોજાયું હતું. સંમેલનમાં તેલંગાણા, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન 16મા નાણાપંચ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય સંબંધો સાથે સંકળાયેલા અનેક મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો હતો. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને સંમેલનનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે, રાજ્યોએ 15મા નાણાપંચને એક આવેદન આપ્યું હતું, જેમાં રાજ્યોને મળતા કરનો હિસ્સો વધારીને ચોખ્ખી આવકના 50 ટકા કરવાની માગ કરવામાં આવી હ...

ઓગસ્ટ 2, 2024 1:51 પી એમ(PM)

views 10

વાયનાડ ભૂસ્ખલન હોનારતમાં મૃત્યુઆંક વધીને 300ને પાર

વાયનાડમાં મંગળવારે સર્જાયેલી ભુસ્ખલનની ઘટનાનો મૃત્યુઆંક વધીને 300ને પાર થયો છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં 308 લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. જિલ્લામાં 91 રાહત શિબિરોમાં 7 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. કેરળની અત્યાર સુધીની આ સૌથી મોટી પ્રાકૃતિક આપત્તિનાં ચોથા દિવસે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. લશ્કરનાં જવાનો અને પોલિસ કર્મચારીઓ તથા રાહત અને બચાવ દળની ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં માટી, ખડકો, પથ્થરો અને ઉખડી ગયેલા વૃક્ષોના અનેક સ્તરો વચ્ચે  કાટમાળમાંથી મૃતદેહો શોધીને બહાર કાઢી રહ્યા છ...

ઓગસ્ટ 1, 2024 1:50 પી એમ(PM)

views 19

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે.વાયુસેનાના સી—17વિમાનની મદદથી મેડિકલ કિટ સહિતની 53 મેટ્રિક ટન જરૂરિયાત સામાનનો જથ્થો અહીં પહોંચાડવામાં આવ્યો છે. AN-32 અને C—130 એરક્રાફ્ટ રાહત સામગ્રી અને કર્મચારીઓને લઈ જઈ રહ્યા છે. આ વિમાનની 200થી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં અને ત્યાંથી લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. M.I—17 અને અત્યાધુનિક ધ્રુવ હેલિકૉપ્ટર્સ માનવતાવાદી સહાયતા અને આપત્તિ ર...