જાન્યુઆરી 24, 2025 6:50 પી એમ(PM)

views 24

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ.મુરુગને જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વૈશ્વિક થિરુક્કુરલ કોન્ફરન્સ યોજાશે,

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ.મુરુગને જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વૈશ્વિક થિરુક્કુરલ કોન્ફરન્સ યોજાશે, સરકાર આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સક્રિયપણેતૈયારીઓ કરી રહી છે. પોંડિચેરી યુનિવર્સિટી ખાતે આજે જીવનમાં સંમોહન : પ્રમોશન,પ્રિવેન્શન અને હસ્તક્ષેપ, પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા મંત્રીએ વર્ણવ્યું કે તિરુક્કુરલનો જાદુ શાશ્વત છે અને આશાસ્ત્રીય પુસ્તકને વિશ્વના શ્રેષ્ઠ ખજાનામાંના એક તરીકે ગણવામાં આવે છે.

નવેમ્બર 16, 2024 7:43 પી એમ(PM)

views 14

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી છે. આજે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે, દેશની આઝાદીની લડતમાં અને કટોકટીના સમયગાળામાં ભારતના સમુહ પ્રસાર માધ્યમોએ નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમણે પેઇડ ન્યૂઝ એટલે કે આર્થિક બળના આધારે સમાચારો પ્રભાવિત કરવાને સમગ્ર સમાજ સામેનો મોટો પડકાર ગણાવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, લોકો પારંપારિક પ્રસાર માધ્યમોથી ડિજીટલ મીડિયા તરફ વળી રહ્યા છે....

નવેમ્બર 10, 2024 8:59 એ એમ (AM)

views 14

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ખાસ કરીને ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી નિર્માણ અને મીડિયા ટેક્નોલોજીમાં રોકાણને સમર્થન આપતી પહેલ દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ખાસ કરીને ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી નિર્માણ અને મીડિયા ટેક્નોલોજીમાં રોકાણને સમર્થન આપતી પહેલ દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો છે. મંત્રીએ દેશનું સાંસ્કૃતિક મહત્વ વિશ્વને બતાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રીએ કહ્યું કે 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024 અને વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ આગામી વર્ષે 5 થી 9 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજ...

ઓક્ટોબર 17, 2024 2:29 પી એમ(PM)

views 14

લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે :કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને કહ્યું કે લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે. આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ખાતે યોજાયેલા બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં ઇમર્જિંગ ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજી અંગેના પરિસંવાદને સંબોધતા ડૉ. મુરુગને પ્રસારણની પરિવર્તનશીલ શક્તિ અને ભવિષ્ય માટે નવી ટેકનીકને અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં 234 નવા શહેરોમાં 730 નવી ખાનગી રેડિયો ચેનલોની સ્થાપન...

સપ્ટેમ્બર 6, 2024 2:39 પી એમ(PM)

views 17

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી સાથે જાપાનના ટોક્યોમાં બેઠક કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી તારો કોનો સાથે જાપાનના ટોક્યોમાં ભારત-જાપાન ડિજિટલ સંબંધ મજબૂત કરવા અંગે બેઠક કરી હતી. બંને નેતાએ ભવિષ્યની તકનીકી અને પ્રગતિ અંગે ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. અગાઉ, શ્રી વૈષ્ણવે ભારત-જાપાન વ્યૂહાત્મક ભાગીદારીની વર્તમાન અને ભાવિ સ્થિતિ ઉપર જાપાનના પ્રધાનમંત્રીના વિશેષ સલાહકાર મસાફુમી મોરી સાથે વ્યાપક ચર્ચા કરી હતી. શ્રી વૈષ્ણવે જાપાનના પરિવહન અને પ્રવાસન મંત્રી તેત્સુઓ સૈટો સાથે ભારત-જાપાન રેલવ...

ઓગસ્ટ 13, 2024 2:11 પી એમ(PM)

views 18

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે. કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમયઅને તારીખ સાથે દર્શાવે તેવી સૂચના આપી છે.એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ આપે છે પરંતુ જે દિવસે ઘટના બની તે દિવસથી વારંવાર ફૂટેજ બતાવે છે. તે કહે છે કે આનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ અને સંભવિત ગભરાટ પેદા થાય છે.ટીવી ચેનલોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આવી ઘટ...