જાન્યુઆરી 12, 2025 8:40 એ એમ (AM)

views 21

પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દુધ ઉત્પાદન વધારવા,સમૃદ્ધ વ્યવસાય, સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા .

પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દુધ ઉત્પાદન વધારવા,સમૃદ્ધ વ્યવસાય, સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પટેલે ગોકુળ ગ્રામ મિશન યોજના અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વડી અદાલતના કેટલાક નિર્ણયોના અસરકારક અમલ માટે કટિબદ્ધ છે.

નવેમ્બર 17, 2024 7:54 એ એમ (AM)

views 46

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ

રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ૭૫ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે, ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે 13 હજાર 982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઇ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછુ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પ...

સપ્ટેમ્બર 26, 2024 3:30 પી એમ(PM)

views 27

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. રાજ્યભરમાંથી ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિ વૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે રાજ્યના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે. આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્રો પર કપાસની ખરીદી શરૂ થશે.