ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 23

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.

ડિસેમ્બર 6, 2024 6:53 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ

કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક ઉત્પાદનના ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા વધુ ટેકાના ભાવ આપવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાજયસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ડાંગર, ઘઉં, બાજરી સહિત વિવિધ પાકોના ટેકાના ભાવે કરાયેલી ખરીદીની વિગતો આપી હતી. એમ.એસ.સ્વામીનાથમ સમિતિ દ્વારા કરાયેલી ભલામણો મુજબ વર્તમાન એનડીએ સરકારે કૃષિ ઉત્પાદન ખર્ચની સરખામણીએ 50 ટકા તોકેટલાક કિસ્સામાં 100 ટકા વધુ ટેકાના ભાવોના આધારે ખરીદી કરી છે. સ્વામીનાથન સમિતિનીઆ ભલામણોનો અગાઉની યુપીએ સર...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 13

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...