ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 37

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ડાંગના વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો 'કિસાન સન્માન' સમારોહમાં ...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 7

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

જૂન 18, 2024 4:04 પી એમ(PM) જૂન 18, 2024 4:04 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી મોદી આજે કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના 20 હજાર કરોડ રૂપિયા લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કિસાન સન્માન નિધિના 17મા હપ્તામાં લગભગ નવ કરોડ 26 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 20 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોએ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ત્રણ લાખ ચાર હજાર કરોડ રુપિયાથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ સખી તરીકે સ્વ-સહાય જૂથોની ત્રીસ હજારથી વધુ મહિલાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરશે. પ્રમાણપત્ર વિતરણનો આ કાર્યક્રમ “લખપતિ દીદી” કાર્યક્રમના ઉદ્દેશને અનુરૂપ છે. શ્રી મોદી...