ઓગસ્ટ 5, 2024 2:37 પી એમ(PM)

views 16

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબુદ થયાને પાંચ વર્ષ પૂર્ણ, સુરક્ષાને જોતા અમરનાથ યાત્રા સ્થગિત

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબુદ થયાને આજે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સુરક્ષાને જોતા અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદાતા જણાવે છે કે ગુપ્તચર સંસ્થા દ્વારા મળેલી માહિતીને ધ્યાને લેતા જમ્મૂના ભગવતીનગર બેઝ કૅમ્પથી યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. જમ્મૂના અખનૂર જિલ્લામાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. દરમિયાન ભાજપે આરએસ પુરામાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે.