સપ્ટેમ્બર 26, 2024 7:39 પી એમ(PM)

views 20

ઉત્તર પ્રદેશ સરકારે આજે સવારે 155 કલાકની નોન-સ્ટૉપ મહા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે

ઉત્તર પ્રદેશ સરકારે આજે સવારે 155 કલાકની નોન-સ્ટૉપ મહા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશ 2 ઑક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ પ્રસંગે પૂર્ણ થશે. ‘સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા’ વિષય વસ્તુ આધારિત આ ઝુંબેશમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરી વિકાસ વિભાગને સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગતની આ ઝુંબેશને સફળ બનાવવાની અપીલ કરી છે.

સપ્ટેમ્બર 9, 2024 7:12 પી એમ(PM)

views 42

સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને 69,000 મદદનીશ શિક્ષકોની પસંદગી યાદીમાં સુધારો કરવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો

વર્ષ 2019માં મદદનીશ શિક્ષક ભરતી પરીક્ષા દ્વારા પસંદ કરાયેલા 69 હજાર સહાયક શિક્ષકોની સુધારેલી યાદી તૈયાર કરવાના ઉત્તર પ્રદેશ સરકારને આપેલા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સર્વોચ્ચ અદાલતે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. જૂન 2020 અને જાન્યુઆરી 2022 માં રાજ્ય સત્તાવાળાઓ દ્વારાજારી કરવામાં આવેલ, 6 હજાર 800 સહાયક શિક્ષકોની યાદી તેયાર કરવાના આદેશ ઉપર પણ સર્વોચ્ચ અદાલતે સ્ટે મૂક્યોહતો.  મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અનેન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચે રવિ કુમાર સક્સેના અનેઅન્ય 51 લોકો દ્વ...

ઓગસ્ટ 30, 2024 2:06 પી એમ(PM)

views 24

ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (NIA) પર પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન આવતા વર્ષે એપ્રિલ સુધીમાં શરૂ થવાની ધારણા છે

ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ(NIA) પર પ્રથમકોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન આવતા વર્ષે એપ્રિલ સુધીમાં શરૂ થવાની ધારણા છે. NIAએ કહ્યું કેતે વર્ષના અંત સુધીમાં ફ્લાઇટ પ્રક્રિયાના પરીક્ષણો સાથે તેની એરોડ્રોમ લાયસન્સ અરજીફાઇલ કરશે.એરપોર્ટના પ્રથમ તબક્કામાં એક રનવેઅને એક ટર્મિનલહશે, જેમાં વાર્ષિકએક કરોડ 20 લાખ મુસાફરોના ટ્રાફિકનું વહન કરવાની ક્ષમતા હશે. ચારેય વિકાસનાતબક્કાઓ પૂર્ણ થયા પછી, એરપોર્ટ દર વર્ષે સાત કરોડ મુસાફરોનુંવહન કરવાની ક્ષમતા ધરાવશે. નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બૃહદ દિલ્હી વિસ્ત...

જુલાઇ 18, 2024 8:12 પી એમ(PM)

views 33

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં થયેલ રેલ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે 20 ઘવાયા છે

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં થયેલ રેલ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે 20 ઘવાયા છે. ગોન્ડા ગોરખપુર માર્ગ પર માન્કાપુર સ્ટેશન નજીક, ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસના છ ડબ્બા ખડી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના વિશે માહિતી મળતા જ રેલવે પ્રશાસનના અધિકારી તેમજ બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતને કારણે આ માર્ગ પર આવતી ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે, જે અનુસાર લખનઉ માટે 8957409292 અને ગોંડા માટે 89...

જુલાઇ 11, 2024 3:26 પી એમ(PM)

views 27

ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોનાં મૃત્યુ થયાં છે

ઉત્તર પ્રદેશમાં પૂરને પગલે છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રવસ્તીના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉત્તરપ્રદેશમાં અમારા સંવાદદાતા જણાવે છે કે, પ્રતાપગઢમાં 11, સુલ્તાન પુરમાં 6, જ્યારે ચંદૌલીમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.