જાન્યુઆરી 29, 2025 2:03 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 2:03 પી એમ(PM)

views 4

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. NVS-02 વહન કરતું GSLV-એફ-15 આજે સવારે 6.23 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે, ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. NVS-02 ઉપગ્રહ ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તે એક સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. તેનું વજન 2 હજાર 250 કિલો છે. તે નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહોમાં બીજો છે. ઇસરોના વડા તરીકે કાર્યભાર સંભાળનારા વી. નારાયણન માટે આ...

ઓક્ટોબર 12, 2024 8:46 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 8:46 એ એમ (AM)

views 6

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણન આજે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. RSS ના વડા ડૉક્ટર મોહન ભાગવત આ વાર્ષિક સમારોહમાં સંબોધન કરશે. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણય અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહેશે. આ પ્રસંગે સંસ્થાના સભ્યો પગપાળા પદયાત્રા કરશે.

ઓગસ્ટ 16, 2024 2:28 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 2:28 પી એમ(PM)

views 10

ઇસરોએ આજે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન – SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ આજે સવારે નવ વાગીને 17 મિનિટે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન-SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ યાન 175 કિલોગ્રામ વજનના પૃથ્વી અવલોકન ઉપગ્રહ-EOS-શૂન્ય-આઠ તેમજ અન્ય એક નાના ઉપગ્રહ SR-શૂન્ય સાથે રવાના થયું હતું. ઇસરોએ પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહ લઈ જવા માટે આ પ્રક્ષેપણ યાન વિકસાવ્યું છે, જેની લંબાઈ 34 મીટર જ્યારે વજન 119 ટન જેટલું છે. અંદાજે 56 કરોડ રૂપિયાની કિંમતે તેને વિકસાવવામાં આવ્યું છે. ઇસરો અનુસાર આ રોકેટ યોજનાથી ભારતીય ઉદ્યોગ અ...

ઓગસ્ટ 8, 2024 2:06 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 2:06 પી એમ(PM)

views 8

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ ઉપગ્રહને લોંચ કરવા માટે નાના સેટેલાઇટ લોંચ વ્હિકલનો ઉપયોગ કવામાં આવશે, જેને 15મી ઓગસ્ટે સવારે નવ વાગીને 17 મિનિટે શ્રી હરિકોટાથી છોડવામાં આવશે.