જાન્યુઆરી 21, 2025 2:21 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 2:21 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન ફેબ્રુઆરીની બીજી તારીખથી 30 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન ફેબ્રુઆરીની બીજી તારીખથી 30 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. ઉદ્યાનમાં બુકિંગ અને પ્રવેશ નિઃશુલ્ક છે અને રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પરથી મુલાકાત બુક કરી શકાશે.રાષ્ટ્રપતિ ભવન છઠ્ઠી માર્ચથી શરૂ થતા અમૃત ઉદ્યાનના ભાગ રૂપે ચાર દિવસીય વિવિધતા કા અમૃત મહોત્સવનું પણ આયોજન કરશે.આ મહોત્સવ દક્ષિણ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને અનોખી પરંપરાઓનું પ્રદર્શન કરશે.

ઓગસ્ટ 16, 2024 2:11 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 2:11 પી એમ(PM)

views 3

અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે

અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે, જે આગામી મહિનાની 15 તારીખ સુધી ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન ઉનાળુ આવૃત્તિ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ વર્ષે 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે પ્રથમ વખત ખેલાડીઓને અમૃત ઉદ્યાનની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળાઓ અને યુનિવર્સિટીઓના શિક્ષકોને પણ ફૂલોનું અવલોકન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. લોકો સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી બગીચાની મુલાકાત લઈ શકશે. જો કે બગીચામા...