જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 14

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:21 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી 16 જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે. ચાર દિવસીય મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે. ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. તેઓ 14મી જાન્યુઆરીએ થલતેજ, ન્યૂ રાણિપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાનાં મકાનોનું લોકાર્પણ કરશે. 15મી જાન્યુઆરીએ કલોલ, માણસામાં સ...

જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM)

views 22

અમિત શાહ આજે રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરફેરની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ માદક પદાર્થોના દૂષણને ડામવા અંગેના પખવાડિયાનો પ્રારંભ કરશે. જેમાં 44 હજાર કિલોગ્રામથી વધુ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી ...

ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM)

views 32

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના એક દિવસીય પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 33

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ. જેપીસી એ ચોક્કસ વિષય અથવા વિધેયકની સંપૂર્ણ તપાસ કરવા માટે સંસદ દ્વારા સ્થપાયેલી એડહોક સમિતિ છે. તેમાં બંને ગૃહો તેમજ શાસક અને વિરોધ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે. જો કે, જેપીસીના સભ્યોની સંખ્યા અને રચના મર્યાદિત નથી....

નવેમ્બર 19, 2024 7:31 પી એમ(PM) નવેમ્બર 19, 2024 7:31 પી એમ(PM)

views 50

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં 35 હજાર કરોડ રૂપિયાના કેફી પદાર્થ પકડવામાં સફળતા મળી.’

માદકપદાર્થના દૂષણને ડામવાના પ્રયાસના ભાગરૂપે છેલ્લા 10 વર્ષમાં 5 લાખ 45 હજારથી વધુમાદકપદાર્થો જપ્ત થયા છે.’ તેમણે ઉમેર્યુ કે, ’ગુનાખોરીને ડામવા કેન્દ્ર સરકારે ત્રણ નવા કાયદા અમલમાં મૂક્યા છે.’(બાઈટ- અમિત શાહ-કેન્દ્રીય ગૃહમંત્રી- માદકપદાર્થ) આ પહેલા સૌ પ્રથમ શાહે આજે સવારે ગાંધીનગર ટપાલ વિભાગ દ્વારા યોજાયેલા જિલ્લા સ્તરના ફિલાટેલી એટલે કે, ટપાલટિકિટના સંગ્રહના પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”નો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ગાંધીનગરમાં સ્થાપત્ય કલા” વિષયવસ્તુ આધારિત ...

નવેમ્બર 19, 2024 3:34 પી એમ(PM) નવેમ્બર 19, 2024 3:34 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસીય આ પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહીત કરવાનો છે.પ્રદર્શનમાં દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ખરીદી અને નિહાળવા માટે પ્રદર્શિત કરવામાં આવી છે. બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરા...

નવેમ્બર 19, 2024 3:31 પી એમ(PM) નવેમ્બર 19, 2024 3:31 પી એમ(PM)

views 25

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસ સંશોધન અને વિકાસ બ્યૂરૉ અને રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે શાહે કહ્યું કે, ‘છેલ્લા પચાસ વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવ્યું છે, જેના કારણે પોલીસનું સ્વરૂપ બદલાયું છે.’ શાહે ઉમેર્યું, ‘છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં 70 ટકા હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે. મા...

ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM)

views 4

ગૃહ મંત્રી અમિત શાહ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા – I.P.S.ના પ્રૉબેશનર્સ સાથે સંવાદ કરશે. દરમિયાન પ્રૉબેશનરી અધિકારી ગૃહમંત્રી સાથે પોતાની તાલીમ અંગેનો અનુભવ રજૂ કરશે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અધિકારીઓને દેશની આંતરિક સલામતી સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે.    ભારતીય પોલીસ સેવા 2023 બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 અધિકારી તાલીમાર્થીઓએ પાયાના અભ્યાસક્રમ તાલીમ પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ – C.A.P.F. અને કેન...