ડિસેમ્બર 12, 2024 7:40 પી એમ(PM)

views 11

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે.

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે. આ ડાક અદાલત અમદાવાદમાં આવેલ જીપીઓ રિલીફ રોડ ખાતે યોજાશે. આ અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે, મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો 20મી ડિસેમ્બર સુધીમાં મેનેજર કસ્ટમર કેર સેન્ટર અમદાવાદ જીપીઓને મોકલવાની રહેશે.