ડિસેમ્બર 12, 2024 7:40 પી એમ(PM)
11
અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે.
અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે. આ ડાક અદાલત અમદાવાદમાં આવેલ જીપીઓ રિલીફ રોડ ખાતે યોજાશે. આ અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે, મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો 20મી ડિસેમ્બર સુધીમાં મેનેજર કસ્ટમર કેર સેન્ટર અમદાવાદ જીપીઓને મોકલવાની રહેશે.