ફેબ્રુવારી 7, 2025 2:51 પી એમ(PM)

views 10

જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 50થી વધુ પક્ષીવિદ્ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી

જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 50થી વધુ પક્ષીવિદ્ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા પક્ષી ગણતરી કરવામાં આવી. રામસર સાઈટ તરીકે જાહેર થયેલા અભયારણ્યમાં આ શિયાળામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. ગણતરી બાદ વનવિભાગ દ્વારા પક્ષીઓની સંખ્યા અને તેની પ્રજાતિ જાહેર કરાશે. આ અંગે પ્રાદેશિક વન અધિકારી દક્ષા વઘાસિયાએ માહિતી આપી હતી.