ડિસેમ્બર 6, 2024 3:48 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 3:48 પી એમ(PM)

views 3

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થિઓની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ દ્વારા જારી કરેલી નવી માર્ગદર્શિક મુજબ લેવાયો

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થિઓની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ દ્વારા જારી કરેલી નવી માર્ગદર્શિક મુજબ લેવાયો છે તેવી સ્પષ્ટતા રાજ્ય સરકારે કરી છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૨થી નવી બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જનજાતિઓના તેજસ્વી તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવો હોઈ, મેનેજમેન્ટ ક્વોટામાં એટલે કે પેઇડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તે માટે શિષ્યવૃત્તિ આપવા...

ઓગસ્ટ 5, 2024 8:14 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 8:14 પી એમ(PM)

views 7

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ અપાયા

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક યોજનાઓના લાભ ઉપલબ્ધ છે. 12 લાખ 84 હજાર 404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2 લાખ 49 હજાર 518 વિદ્યાર્થીને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ અપાયા છે. આદિજાતિ વિસ્તારોમાં જ્ઞાનકૂંજ પ્રૉજેક્ટ અને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બૉર્ડ યોજના હેઠળ 7 હજાર 408 સરકારી પ્રાથમિક શાળામાં 28 હજાર 12 સ્મ...