ઓગસ્ટ 9, 2024 2:54 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:54 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાચસો જેટલા જવાનો વાયનાડથી પરત ફર્યા છે. નવનિર્મિત બેલી બ્રીજને મજબૂત બનાવવા માટે એક નાની ટુકડી અને હેલિકોપ્ટર તપાસ ટુકડી હજી કેટલાક દિવસ વાયનાડ રોકાશે.

ઓગસ્ટ 1, 2024 1:50 પી એમ(PM) ઓગસ્ટ 1, 2024 1:50 પી એમ(PM)

views 9

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના મામલે હવે ભારતીય વાયુસેના રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ – NDRF અને અન્ય સંસ્થાઓ સાથે રાહત અને બચાવકાર્યમાં જોડાઈ છે.વાયુસેનાના સી—17વિમાનની મદદથી મેડિકલ કિટ સહિતની 53 મેટ્રિક ટન જરૂરિયાત સામાનનો જથ્થો અહીં પહોંચાડવામાં આવ્યો છે. AN-32 અને C—130 એરક્રાફ્ટ રાહત સામગ્રી અને કર્મચારીઓને લઈ જઈ રહ્યા છે. આ વિમાનની 200થી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં અને ત્યાંથી લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. M.I—17 અને અત્યાધુનિક ધ્રુવ હેલિકૉપ્ટર્સ માનવતાવાદી સહાયતા અને આપત્તિ ર...

જુલાઇ 31, 2024 2:22 પી એમ(PM) જુલાઇ 31, 2024 2:22 પી એમ(PM)

views 8

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 157 થયોઃ 100 લોકો ગુમ

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 157 થયો છે, જ્યારે વિવિધ હોસ્પિટલમાં 186 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે. અને લગભગ 100 લોકો ગુમ હોવાના અહેવાલ છે, આ સંખ્યા વધવાની પણ શક્યતા છે. બચાવ કાર્યકર્તાઓએ વાયનાડના મુંડક્કાઈમાંથી વધુ મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કાટમાળ નીચે વધુ મૃતદેહો દટાયેલા હોવાની શકયતા છે. મલપ્પુરમ જિલ્લામાં ચાલિયાર નદીમાંથી ગઈકાલે ભૂસ્ખલનમાં તણાઇ ગયેલા વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે.