ફેબ્રુવારી 16, 2025 9:19 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:19 એ એમ (AM)

views 2

પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે.

પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે મહાકુંભ ખાતે આજે પ્રકૃતિ અને પક્ષી મહોત્સવ- 2025નું ઉદ્ઘાટન થશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારતીય સ્કિમરને આ મહોત્સવ માટે માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધા અને સંરક્ષણના સંગમનું પ્રતીક છે. દરમિયાન મહાકુંભમાં ગઇકાલે સાંજ સુધીમાં 1 કરોડ 21 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી . દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો આ ભવ્ય મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 51 કરોડ 31 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે.

ફેબ્રુવારી 13, 2025 9:05 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 9:05 એ એમ (AM)

views 3

પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, હવે સંગમ સુધી પહોંચવા માટે ઇ-રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે.

પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, હવે સંગમ સુધી પહોંચવા માટે ઇ-રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે. આ નિર્ણય પોલીસ કમિશનર દ્વારા પોલીસ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. માઘ પૂર્ણિમા નિમિતે ગઇકાલે 2 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.