ઓગસ્ટ 26, 2024 7:17 પી એમ(PM)

views 31

ભારતીય તટરક્ષક દળોએ આજે માલવાહક પોત આઇ ટી ટીપ્યૂમાના ચાલક દળના અગિયાર જેટલા સભ્યોને ઉગાર્યા

ભારતીય તટરક્ષક દળોએ આજે માલવાહક પોત આઇ ટી ટીપ્યૂમાના ચાલક દળના અગિયાર જેટલા સભ્યોને ઉગારી લીધા છે. આ જહાજ કોલકાતા બંદરેથી પોર્ટબ્લેરજઈ જતા પશ્ચિમ બંગાળના દરિયામાં ડૂબી ગયું હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કેજહાજ દ્વારા સંદેશ મળ્યા બાદ તુરત જ તટરક્ષક દળના બે જાલયાન અને એક ડોર્નયર વિમાનઘટના સ્થળ માટે રવાના થયા હતા.