ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 33

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ. જેપીસી એ ચોક્કસ વિષય અથવા વિધેયકની સંપૂર્ણ તપાસ કરવા માટે સંસદ દ્વારા સ્થપાયેલી એડહોક સમિતિ છે. તેમાં બંને ગૃહો તેમજ શાસક અને વિરોધ પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે. જો કે, જેપીસીના સભ્યોની સંખ્યા અને રચના મર્યાદિત નથી....

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 8

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર 3, 2024 2:54 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 2:54 પી એમ(PM)

views 6

ત્રણ નવા ફોજદારી કાયદાની સફળ અમલીકરણ પ્રક્રિયાથી રાષ્ટ્રને માહિતગાર કરવા પ્રધાનમંત્રી ચંદીગઢ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરવા ચંદીગઢ પહોંચી ગયા છે.નવા ફોજદારી કાયદા, જે આ વર્ષે 1લી જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યા હતા, તેનો હેતુ દેશની કાયદાની વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે.આ કાર્યક્રમની થીમ સુરક્ષિત સમાજ, વિકસિત ભારત:સજાથી ન્યાય સુધી આધારિત છે. જેના દ્વારા કાયદાઓની વ્યવહારિક એ...

ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM)

views 7

ઑક્ટોબરમાં યુપીઆઈ થકી રૂ. 16.15 અબજના નાણાંકીય વ્યવહાર થયા

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ - UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયું હતું. તેણે એક જ મોબાઈલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક ખાતાઓને એકીકૃત કરીને દેશના નાણાકીય ચૂકવણીના પારિસ્થિતિક તંત્રમાં ક્રાંતિ લાવી છે. UPIએ નાણાકીય વ્યવહારોને જો ઝડપી, સુરક્...

નવેમ્બર 27, 2024 7:44 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:44 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે, જેથી તેઓ ઐતિહાસિક વિકિસિત ભારત યુવા નેતા સંવાદનો ભાગ બની શકે. વિકિસિત ભારત ચેલેન્જ એ ચાર તબક્કાની સ્પર્ધા છે, જેમાં યુવાનોને ભાગ લેવા અને વિચારોનું યોગદાન આપવા આમંત્રણ આપવામાં આવે છે. ચેલેન્જની શરૂઆત 25મી નવેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી ઓલ ઈન્ડિયા ડિજિટલ ક્વિઝ સ્પર્ધા સાથે થશે. આ સ્પર્ધા 15 થી 29 વર્ષની વયના તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે આ ક્વિઝ દ્વારા યુવાનો વિકસિત ભાર...

નવેમ્બર 21, 2024 9:24 એ એમ (AM) નવેમ્બર 21, 2024 9:24 એ એમ (AM)

views 9

કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે.- પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ભારત CARICOM સભ્ય દેશોનો એક વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ છે. ગઈકાલે રાત્રે જ્યોર્જટાઉન, ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં શરૂઆતની ટિપ્પણીમાં, શ્રી મોદીએ કહ્યું, કે કોવિડ હોય કે કુદરતી આફતો, ક્ષમતા નિર્માણ કે વિકાસના મુદ્દાઓ.. ભારત CARICOM સભ્ય દેશો સાથે ઊભું રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, આ સમિટ પાંચ વર્ષ પછી યોજાઈ રહી છે અને આ પાંચ વર્ષમાં, વિશ્વએ ઘણા ફેરફારો જોયા છે અને માનવજાતને કેટલીક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્ય...

નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM) નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા હતા. શ્રી મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. નેતાઓએ આબોહવા સ્થિતિસ્થાપકતા, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવા જેવા ક્ષેત્રોમાં ભારત-ડોમિનિકા સહકાર માટેની તકોની ચર્ચા કરી. તેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં સહકાર અંગે પણ ચર્ચા કરી.

નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM) નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM)

views 9

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ સહિત દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તબીબી ઉત્પાદનો, જન ઔષધિયોજના, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, ગયાનામાં UPI સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કોમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગયાના અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગુજરાત વચ્ચે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગઈકા...

નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM) નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ગયાનાના જોર્જટાઉન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CARICOM એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ એ 20 વિકાસશીલ દેશોનું જૂથ છે. પ્રધાનમંત્રી CARICOM સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ મંત્રણામાં આ પ્રદેશ સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધ...

નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM) નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઊર્જા કાર્યક્ષમતા દર બમણા કરવાનું વચન આપ્યું હતું. તેઓએ ટકાઉ વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલામાં છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ પ...