નવેમ્બર 17, 2024 9:27 એ એમ (AM) નવેમ્બર 17, 2024 9:27 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અબુજામાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટેના અન્ય પગલાં અંગે ચર્ચા કરશે. મંત્રણા બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નાઈજીરીયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાના એમ ત્રણ દેશોની પાંચ દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં ગઈકાલે રાત્રે નાઈજીરીયા પહોંચ્યા હતા. 17 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની નાઈજીરિયાન...

નવેમ્બર 16, 2024 7:44 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:44 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકોને અધિકાર સંપન્ન બનાવવા મહારાષ્ટ્રની મહાયુતિની સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજના દરેક વર્ગના લોકોને અધિકાર સંપન્ન બનાવવા મહારાષ્ટ્રની મહાયુતિની સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી છે. આજે મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રના ભાજપના કાર્યકરો સાથે સંવાદ કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. પક્ષના કાર્યકરો છેલ્લાં ઘણા સમયથી અથાક પરિશ્રમ કરી રહ્યા છે તે માટે પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આગામી 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી એ મતગણતરી હાથ ધરાશે.

નવેમ્બર 16, 2024 7:41 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:41 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઈજીરીયા, બ્રાઝીલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દિવસની નાઈજીરીયા, બ્રાઝીલ અને ગયાનાની મુલાકાતે જવા રવાના થયા છે. પ્રવાસે જતા પહેલાં શ્રી મોદીએ કહ્યું કે, તેમની આ મુલાકાતથી પશ્વિમ આફ્રિકાના ભારતના મહત્વના ભાગીદાર દેશ સાથેની વ્યૂહાત્મક ભાગીદાર મજબૂત બનાવવાની તક ઊભી થઈ છે. તેમણે નાઇજીરીયામાં વસતા ભારતીયોને મળવા ઉત્સુક હોવાનું જણાવ્યું છે. શ્રી મોદી 18મી નવેમ્બરે બ્રાઝીલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 શિખર બેઠકમાં ભાગ લેશે. જેમાં શ્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પક્ષ રજૂ કરશે. આ બેઠકમાં એક પૃથ્વી એક ક...

નવેમ્બર 16, 2024 7:39 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:39 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે. મીડિયા સંસ્થા દ્વારા યોજાયેલી એક બેઠકમાં બોલતાં તેમણે કહ્યું કે, તેમની સરકાર લોકોનો અને લોકો થકી દેશના વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે. તેમની સરકારે રોજગાર અને વિકાસ માટેના મૂડીરોકાણની મદદથી દેશના વિકાસનું મોડેલ અપનાવ્યું છે. આના પરિણામે દેશ અને દેશના નાગરિકોનું ગૌરવ વધશે. આસામમાં બોડો સમુદાય સાથેની શાંતિ સંધિના લીધે ત્યાંના નાગરિકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. વિકાસના મંત્ર સાથે આગ...

નવેમ્બર 15, 2024 7:32 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:32 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, એનડીએ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા જનજાતિય સમુદાયને શિક્ષણ, સારવાર અને રોજગારી પૂરી પાડવાની છે. તેમણે જણાવ્યું કે, સરકારે વિવિધ કલ્યાણ યોજનાઓ શરૂ કરીને જનજાતિય સમુદાયને મુખ્યધારામાં લાવવાનું કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીએ બિહારનાં જમુઇ જિલ્લામાં 6 હજાર 600 કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું ઉદઘાટન કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, તેમની સરકાર સિકલ સેલ રોગ નાબૂદ કરવા ગંભીરતાથી કામ કરી રહી છે અને 700થી વધુ એકલવ્ય શાળાઓ, આદિવાસી સંશોધન કેન્દ્ર...

નવેમ્બર 15, 2024 1:53 પી એમ(PM) નવેમ્બર 15, 2024 1:53 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ 2 દિવસના મહોત્સવ ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર આધારિત મોટું આયોજન છે. તેનો ઉદ્દેશ માત્ર બોડોલેન્ડમાં જ નહીં, પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળ અને ઉત્તર-પૂર્વના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં રહેતા સ્વદેશી બોડો લોકોને એકત્રિત કરવાનો છે. બોડોલેન્ડ મહોત્સવનો વિષય “સમૃદ્ધ ભારત માટે શાંતિ અને સ્વભાવ” છે. આ મહોત્સવના માધ્યમથી બોડોલેન્ડની સાંસ્કૃતિક અને ભાષાકીય વારસા, પર્યાવરણીય જૈવવિવિધતા અને પ્રવાસનનો લાભ મળશે. આ ક...

નવેમ્બર 15, 2024 1:51 પી એમ(PM) નવેમ્બર 15, 2024 1:51 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 6 હજાર 600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 6 હજાર 600 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આદિવાસી સમાજનો વિકાસ જ એનડીએ સરકારની પ્રાથમિકતા છે. (બાઇટ – નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી) શ્રી મોદીએ ભગવાન બિરસા મુંડાના જીવન અને સમૃદ્ધ આદિવાસી વારસો અને સંસ્કૃતિ પર આધારિત એક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું.તેમણે બે આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાનીઓના સંગ્રહાલયો અને બે આદિજાતિ સંશોધન સંસ્થાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.. ...

નવેમ્બર 14, 2024 6:40 પી એમ(PM) નવેમ્બર 14, 2024 6:40 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રે દેશને ‘વિકસિત ભારત’ તરફ દોરી જવું જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રે દેશને 'વિકસિત ભારત' તરફ દોરી જવું જોઈએ. તેમણે કહ્યું કે આ વિઝનને અનુરૂપ, રાજ્યમાં હાલમાં ઘણા આધુનિક માળખાકીય પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે પ્રદેશ માટે 70 હજાર કરોડ રૂપિયાના રોકાણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે મરાઠવાડામાં 45 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ પહેલેથી જ ચાલી રહ્યા છે. તેમણે આ પ્રદેશમાં ધોરી માર્ગ,, રેલવે આધુનિકીકરણ, ઓદ્યોગિક ...

નવેમ્બર 14, 2024 6:39 પી એમ(PM) નવેમ્બર 14, 2024 6:39 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ઉદ્ઘાટન માટે બિહારના જમુઈની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ઉદ્ઘાટન માટે બિહારના જમુઈની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે છ હજાર છસો ચાલીસ કરોડ રૂ. થી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન હેઠળ બનેલા 11 હજાર મકાનોના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી આદિજાતિ ન્યા...

નવેમ્બર 14, 2024 1:50 પી એમ(PM) નવેમ્બર 14, 2024 1:50 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રીને યાદ કર્યા હતા.