ડિસેમ્બર 15, 2024 8:28 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:28 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી વિશ્વ માટે પ્રેરણારૂપ છે. લોકસભામાં ભારતના બંધારણના 75 વર્ષની ભવ્ય યાત્રા પર ચર્ચા 15 કલાકથી વધુ ચાલી હતી. ગઈકાલે બે દિવસની લાંબી ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતીય બંધારણે સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રનિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. ચર્ચા દ...

ડિસેમ્બર 15, 2024 8:27 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:27 એ એમ (AM)

views 4

સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે.

સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ (129મો સુધારો) વિધેયક અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) વિધેયક રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાના વિષય ને અમલમાં મૂકવા માટે બંધારણીય સુધારા બિલને મંજૂરી આપી હતી. સૂચિત બંધારણ સુધારો વિધેયક લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની જોગવાઈ સાથે સંબંધિત હશે. પૂર્વ...

ડિસેમ્બર 15, 2024 8:24 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:24 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરશે. શ્રી મોદીએ ગઈકાલે આ પરિષદમાં અધ્યક્ષતા કરી હતી. આ ત્રણ દિવસીય પરિષદનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. તેનો ઉદ્દેશ રાજ્યો સાથે મળીને એક સામાન્ય વિકાસ કાર્યસૂચિનું મૂલ્યાંકન અને અમલ કરવાનો છે. પરિષદનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારીને મજબૂત કરવાનો અને સહકારી સંઘવાદ, ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવાનો છે. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અગ્ર સચિવો, વરિષ્...

ડિસેમ્બર 14, 2024 8:38 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:38 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાજ્યોના મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અને ઝડપી વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે વધુ સહકાર સુનિશ્ચિત કરવાનો છે. મુખ્ય સચિવોની પ્રથમ પરિષદ જૂન 2022માં ધર્મશાલામાં, બીજી જાન્યુઆરી 2023માં દિલ્હીમાં અને ડિસેમ્બર 2023 માં દિલ્હીમાં ત્રીજી પરિષદ યોજાઇ હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે સંમેલનમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિ...

ડિસેમ્બર 14, 2024 8:32 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:32 એ એમ (AM)

views 5

ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાબ આપશે.

ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પર લોકસભામાં ચર્ચા આજે પણ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આ ચર્ચાનો જવાબ આપશે. બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ગઈકાલે લોકસભામાં બે દિવસીય ચર્ચા શરૂ થઈ. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય બંધારણે સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને ધ્યાનમાં લઈને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં શ્રી સિંહે કહ્યું કે તાજેતરના વર્ષોમાં બંધારણને માત્ર એક પક્ષ...

ડિસેમ્બર 12, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:33 પી એમ(PM)

views 4

રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે

રાજય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં પર્દાપણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. રાજય સરકારના સુશાસનના આજે બે વર્ષ પૂર્ણ થતા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફાર્મસ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓના પ્રતિનિધિઓ સાથેના સંવાદમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. તે...

ડિસેમ્બર 12, 2024 6:47 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:47 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંગમ નગરી પ્રયાગરાજની મુલાકાત લેશે અને 13મી જાન્યુઆરીથી શરૂ થનાર મહાકુંભ-2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે લગભગ 7 હજાર કરોડ રૂપિયાના મહાકુંભ પરિયોજનાઓનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન પણ કરશે.

ડિસેમ્બર 12, 2024 8:45 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:45 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા. કપૂર પરિવારે પ્રધાનમંત્રીને રાજ કપૂર ફિલ્મ મહોત્સવ માટે આમંત્રણ આપ્યું હતું, જે આ મહિનાની 13 થી 15 તારીખ સુધી 40 શહેરોમાં યોજાશે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં રાજકપૂરનાં યોગદાનને યાદ કરતા આ મુજબ જણાવ્યું, પ્રધાનમંત્રીએ કપૂર પરિવારને રાજ કપૂર વિશે, ખાસ કરીને મધ્ય એશિયાનાં દર્શકો માટે ફિલ્મ બનાવવા વિનંતી કરી હતી....

ડિસેમ્બર 12, 2024 8:43 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:43 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જેમ જેમ દેશમાં ડિજિટલી કનેક્ટિવિટી વધી રહી છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જેમ જેમ દેશ મોટા પાયે ડિજિટલી કનેક્ટ થઈ રહ્યો છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ સતત વધી રહ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ની ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથેની વાતચીતમાં ગઈ કાલે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વિશ્વનાં અગ્રણી ડિજિટલ અર્થતંત્રોમાંનું એક છે. યુવા સંશોધકોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સંશોધકો 21મી સદીના ભારત માટે અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, યુવા સંશોધકોનાં ઉકેલો ભારતના ભવિષ્...

ડિસેમ્બર 10, 2024 9:51 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 9:51 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં વિદ્યાર્થીઓની 1,300થી વધુ ટૂકડીઓ ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉપસ્થિતોને સંબોધિત કરશે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનની 7મી આવૃત્તિ આવતી કાલે દેશભરમાં 51 નોડલ કેન્દ્રો પર એક સાથે શરૂ થશે. સોફ્ટવેર એડિશન 36 કલાક માટે નોનસ્ટોપ ચાલશે, જ્યારે હાર્ડવેર એડિશન 15મી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ભૂતકાળની આવૃત્તિઓની જેમ, વિદ્યાર્થીઓની ટીમો મંત્રાલયો...