જૂન 21, 2025 10:29 એ એમ (AM) જૂન 21, 2025 10:29 એ એમ (AM)

views 11

યોગે સમગ્ર વિશ્વમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમની શરૂઆત કરાવતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે યોગે સમગ્ર વિશ્વમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ રાધવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની સહિત યોગ સત્રમાં ત્રણ લાખથી વધુ લોકોએ ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારત...

જૂન 14, 2025 7:49 પી એમ(PM) જૂન 14, 2025 7:49 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની પાંચ દિવસની મુલાકાત માટે રવાના થશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, મુલાકાતના પ્રથમ તબક્કામાં, શ્રી મોદી રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર સાયપ્રસ પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની મુલાકાત સાયપ્રસથી શરૂ થશે. બે દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની સાયપ્રસની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત એટલા માટે મહત્વની છે કે સાયપ્રસે કાશ્મીર, સરહદ પાર આતંકવાદ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા પર ભારતના વલણને સતત...

જૂન 14, 2025 2:03 પી એમ(PM) જૂન 14, 2025 2:03 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી આવતીકાલથી ચાર દિવસની ક્રોએશિયા, કેનેડાના પ્રવાસે .. કેનેડામાં જી-7 દેશોની સમિટમાં ભાગ લેશે.

સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. બે દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રીની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે. નિકોસિયામાં, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપ્રમુખ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે અને લિમાસોલમાં વ્યાપારી નેતાઓને સંબોધિત કરશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર, શ્રી મોદી 16 જૂને G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ જશે. G-7 સમિટમાં પ્રધાનમંત્રીની આ સતત છઠ્ઠી ભાગીદારી હશે. સ...

માર્ચ 30, 2025 8:05 પી એમ(PM) માર્ચ 30, 2025 8:05 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસ કાર્યોમાં વીજળી, રસ્તા, રેલ્વે, ઓઇલ અને ગેસ, શિક્ષણ અને આવાસનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયમી શાંતિનો એક નવો યુગ જોવા મળી રહ્યો છે. રાજ્યના દૂરના આદિવાસી વિસ્તારોમાં રસ્તા, વીજળી અને મોબાઇલ નેટવર્કની સાથે આરોગ્ય અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ...

માર્ચ 30, 2025 8:03 પી એમ(PM) માર્ચ 30, 2025 8:03 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો મફત સારવાર સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરતી વખતે શ્રી મોદીએ કહ્યું કે જન ઔષધિ કેન્દ્રો પર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા દરે દવાઓ મળી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દેશભરમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. તે...

માર્ચ 30, 2025 7:21 પી એમ(PM) માર્ચ 30, 2025 7:21 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 120મી કડીમાં રાજ્યના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન, એકતા નર્સરી, વિશ્વ વન અને મિયાવાકી ફોરેસ્ટમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કૃષ્ણકમલ ફુલનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઘણા રાજ્યોમાં જળ સંરક્ષણ કાર્યને નવી ગતિ મળી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે જળ સંચય – જન ભાગીદારી અભિયાન વધુને વધુ લોકોને જળ સંરક્ષણ સાથે જોડવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અન...

માર્ચ 16, 2025 7:44 પી એમ(PM) માર્ચ 16, 2025 7:44 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત શાંતિ અંગે જે બોલે છે તે સમગ્ર વિશ્વ સાંભળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત શાંતિ અંગે જે બોલે છે તે સમગ્ર વિશ્વ સાંભળે છે. કારણ કે, ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીજીની ભૂમિ છે. શ્રી મોદીએ એ.આઈ. સંશોધનકર્તા અને પૉડકાસ્ટર લૅક્સ ફ્રિડમેન સાથેની વાતચીતમાં કહ્યું: ‘ભારતીય લોકો સદભાવમાં વિશ્વાસ કરે છે અને શાંતિ ઈચ્છે છે.’ રશિયા અને યુક્રેન સંઘર્ષ પર શ્રી મોદીએ કહ્યું: ‘જ્યારે બંને દેશ વાતચીત માટે એકસાથે આવશે ત્યારે આનું સમાધાન આવશે.’ ભારત અને ચીનના સંબંધ પર શ્રી મોદીએ કહ્યું, ‘બંને દેશના સંબંધ નવા નથી, પરંતુ પ્રાચીન ક...

માર્ચ 16, 2025 7:43 પી એમ(PM) માર્ચ 16, 2025 7:43 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટૉફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે. ત્રણ દિવસ ચાલનારો રાયસીના ડાયલૉગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે આ કાર્યક્રમની મુખ્ય વિષયવસ્તુ કાલચક્રઃ લોકો, શાંતિ અને પૃથ્વી છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વના નીતિ નિર્માતાઓ અને ચિંતકો પૉલિટિક્સ ઇન્ટરપ્ટેડ- શિફ્ટિંગ સેન્ડ્સ એન્ડ રાઈઝિંગ ટાઈડ્સ, રિઝોલ્વિંગ ધ ગ્રીન ટ્રાઈલેમાઃ હૂ, ...

માર્ચ 9, 2025 8:08 પી એમ(PM) માર્ચ 9, 2025 8:08 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ માર્ચે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ માર્ચે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી શ્રી મોદીની મુલાકાતને લઈને મોરેશિયસના લોકોમાં ઘણો ઉત્સાહ છે. મોરેશિયસની 70 ટકા વસ્તી ભારતીય મૂળના લોકો છે.

માર્ચ 9, 2025 8:01 પી એમ(PM) માર્ચ 9, 2025 8:01 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત એઈમ્સની મુલાકાત લીધી હતી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત એઈમ્સની મુલાકાત લીધી હતી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ ધનખડને ગઈકાલે રાત્રે અસ્વસ્થતાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રી ધનખડની સ્થિતિ હાલમાં સ્થિર છે.