ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ - NLW વ્યક્તિગત સહભાગીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જોડાણ દ્વારા શીખવા માટે સમર્પિત રહેશે. NLW દરમિયાન દરેક કર્મયોગી ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા-સંબંધિત શિક...

ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM)

views 6

પીએમ મોદીએ I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલનનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ– I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન – W.T.S.A. 2024 અને ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર ડિજિટલ ટેક્નૉલોજી સંસ્થાના આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના પ્રમાણિત કાર્યનું સંચાલન પરિષદ છે. તેનું આયોજન દર ચાર વર્ષે કરાય છે. I.T.U.ના ઇતિહાસમાં પહેલીવાર આવો પ્રતિષ્ઠિત વૈશ્વિક કાર્યક્રમ ભારત અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આ મહત્વનો...

ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM)

views 3

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે. જયદીપ મઝૂમદારે વધુમાં જણાવ્યું હતું કે, લાઓસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સ...

ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના દસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં યોજાશે, જે સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જન ચળવળ છે. પ્રધાનમંત્રી 9,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે. તેમાં AMRUT અને AMRUT 2.0, સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન અને ગોબરધન યોજના હેઠળ 15 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ઓક્ટોબર 2, 2024 9:12 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:12 એ એમ (AM)

views 2

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી સહિત અનેક મહાનુભવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલી અર્પણ કરી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે દેશની સ્વતંત્રતા ચળવળને નવી રાહ ચીંધી આઝાદી અપાવી હતી. મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે , સત્ય અને અહિંસાના પ્રખર અનુયાયી બાપુનું જીવન સમગ્ર માનવતા માટે અનોખો સંદેશ છે. આજે સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદૂર શ...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...

સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આજે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્ર...

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 8

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમ...

સપ્ટેમ્બર 25, 2024 10:57 એ એમ (AM) સપ્ટેમ્બર 25, 2024 10:57 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા ભાજપ સોનીપત, રોહતક અને પાણીપતમાં આવતા 22 વિધાનસભા ક્ષેત્રોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હરિયાણાના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જંગી જીત સુનિશ્ચિત કરવાનું મન બનાવી લીધું છે. શ્રી મોદીએ આ મહિનાની 14 તાર...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...