ફેબ્રુવારી 6, 2025 8:03 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 8:03 પી એમ(PM)
4
કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે, કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે
કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે, કાયદા અને નિયમોનું પાલન કરીને વિદેશમાં પ્રવાસ કરવો સામૂહિક હિતમાં છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ દેશનાં લોકો બીજાં દેશોમાં ગેરકાયદેસર રીતે રહેતા જણાય તો તેમની સામે પગલાં લેવા એ દેશોની ફરજ છે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં સર્વસ્વીકૃત સિધ્ધાંત પણ છે. અમેરિકામાંથી ભારતીય નાગરિકોના દેશનિકાલ પર નિવેદન આપતાં ડૉક્ટર જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોને પાછા લેવાની જે તે દેશની ફરજ છે. તેમણે માહિતી આપી કે...