T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો છે.
ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 208 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 15 ઓવર અને 2 બોલમાં ત્રણ વિકેટે 209 રન બનાવીને વિજયનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે અણનમ 82 રન જ્યારે ઇશાન કિશને 32 બોલમાં 76 રન કર્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. શ્રેણીની ત્રીજી મેચ આવતીકાલે ગુવાહાટીમાં રમાશે.
Site Admin | જાન્યુઆરી 24, 2026 8:10 એ એમ (AM)
T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો