રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા બેઠકોમાં ધોરણ-એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-એકમાં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તારીખ ૧૬મી માર્ચ આજ સુધી છે. અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમા એક લાખ ૨૦ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ ૫૦ હજાર સુધી મર્યાદિત હતી.
શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને છ લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂપિયા છ લાખ કરવાનો નિર્ણય કર્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૫-૨૬ માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.
Site Admin | માર્ચ 16, 2025 9:09 એ એમ (AM)
RTE એકટ હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારીને છ લાખ રૂપિયા કરી
