ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2024 2:37 પી એમ(PM) | NIA

printer

NIA એ એક બસ પર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ તાજેતરમાં એક બસ પર થયેલા આતંકી હુમલાની તપાસના ભાગરૂપે જમ્મુ વિભાગના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ આજે તપાસ અભિયાન શરૂ કર્યું છે.
આ બસ રિયાસી જિલ્લાના શિવ ખોરી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે એનઆઈએની ઘણી ટીમો આજ સવારથી તપાસ કરી રહી છે.