રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA-એ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત માહિતી, તસવીરો અથવા વીડિયો હોય તો તે તાત્કાલિક મોકલવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી છે. NIA એ જણાવ્યું કે, પ્રવાસીઓ સંસ્થાનો મોબાઇલ નંબર 96 54 95 88 16 અથવા લેનલાઇન નંબર – 011 24 36 88 00 પર ફોન કરી માહિતી આપી શકે છે.
NIA એ જણાવ્યું હતું કે, તેણે હુમલાના વિવિધ પાસાઓ દર્શાવતા મોટી સંખ્યામાં તસવીરો અને વીડિયો કબજે કર્યા છે અને તેની તપાસ કરી રહી છે. પ્રવાસીઓ અને અન્ય લોકોએ જાણતાં-અજાણતાં કેટલીક સંબંધિત વિગતો જોઈ, સાંભળી અથવા ક્લિક કરી હશે, જે હુમલા પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં મદદ કરી શકે છે.
Site Admin | મે 8, 2025 9:22 એ એમ (AM)
NIA-એ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત માહિતી, તસવીરો અથવા વીડિયો હોય તો તે તાત્કાલિક મોકલવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી
