રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય-NFSU 17 સપ્ટેમ્બર સુધી “ભારત માતાના વીરપુત્રોને એક પત્ર” નામથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું.આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પૂર્ણ થશે. રાષ્ટ્રવંદના અભિયાનના ભાગરૂપે NFSUના વિદ્યાર્થીઓ રાજભાષા હિન્દીમાં સૈનિકો અને શહીદોના પરિવારોને હસ્તલિખિત પત્રો લખશે, જેમાં દેશ પ્રત્યેની તેમની અતૂટ સેવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરાશે.આ અભિયાન અંતર્ગત દેશભરના સૈનિકોને સાત હજાર 500 પત્રો મોકલવામાં આવશે, જ્યારે 75 ખાસ પસંદ કરેલા સંદેશાઓ 75 ફૂટ ઊંચા “વીરાંજલી સ્તંભ” પર પ્રદર્શિત કરાશે, જે કાયમી કૃતજ્ઞતા અને દેશભક્તિના ગૌરવનું પ્રતીક બની રહેશે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 9:07 એ એમ (AM)
NFSUએ “ભારત માતાના વીરપુત્રોને એક પત્ર” નામથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું