ઇન્ડિયન પ્રીમિયર લીગ-2025માં લખનૌ સુપર જાયન્ટ્સ, ગઈકાલે રાત્રે લખનઉમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છ વિકેટે હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 59 અને હેઇનરિચ ક્લાસને 47 રન બનાવ્યા હતા. અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ હારથી લખનઉ સુપર જાયન્ટ્સ 12 મેચમાં 10 પોઇન્ટ સાથે સાતમા ક્રમે આવ્યું છે.આજે ચેન્નાઈ સુપર કિંગ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
Site Admin | મે 20, 2025 9:05 એ એમ (AM)
IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છ વિકેટે હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી બહાર
