બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ થવાથી 11 લોકોના મોત થયા છે જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. આ મૃત્યુ ગૂંગળામણને કારણે થયા છે. હજારો પ્રશંસકોની સ્ટેડિયમના એક દરવાજા પર ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યાં આરસીબી ટીમ વિજયની ઉજવણી કરવા આવવાની હતી.વિજયના ભાગ રૂપે ખેલાડીઓની એક ઝલક જોવા માટે આરસીબીના ચાહકો સાંજથી જ સ્ટેડિયમમાં ભેગા થવા લાગ્યા હતા, જેના કારણે સ્ટેડિયમની અંદર અને આસપાસના રસ્તાઓ પર ભીડભાડ થઈ ગઈ હતી અને ટ્રાફિક પોલીસને સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ વિસ્તારમાં વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવામાં મુશ્કેલી પડી રહી હતી કારણ કે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. જેના કારણે કર્ણાટક સરકારે સુરક્ષાને ધ્યાને રાખીને વિધાન સૌધાથી ચિન્ના સ્વામી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની વિજય પરેડ રદ કરી હતી.
Site Admin | જૂન 5, 2025 9:13 એ એમ (AM)
IPLમાં RCBની જીતની ઉજવણી અગાઉ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ થવાથી 11 લોકોના મોત – જ્યારે 33 લોકો ઇજાગ્રસ્ત
