ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે.

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના પારસ સોસાયટી સ્થિત નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા છે. શહેરમાં રેસકોર્સ ખાતે રમેશ પારેખ રંગ ભવન ખાતે તેમની વિશાળ પ્રાર્થના સભા યોજાશે.
આજે સ્વ. વિજય રૂપાણીના નિધનને અંજલી આપવાના ભાગરૂપે રાજકોટ શહેરની શાળામાં શિક્ષણ કાર્ય બંધ રખાયું જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અડધો દિવસ બંધ પાડવામાં આવ્યો હતો રાજકોટની સોની બજારે પણ અડધો દિવસ બંધ પાડીને દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ