સીબીઆઈ નિયામકની નિમણૂક માટેની સમિતિની બેઠક ગઈ કાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે યોજાઈ હતી. બેઠકમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હાજરી આપી હતી.ઉલ્લેખનીય છે કે આ મહિનાની 25મી તારીખે વર્તમાન સીબીઆઇ નિયામક પ્રવીણ સૂદનો બે વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.સીબીઆઈ નિયામકની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ સભ્યોની નિમણૂક સમિતિની ભલામણ પર કરવામાં આવે છે.
Site Admin | મે 6, 2025 9:40 એ એમ (AM)
CBI નિયામકની નિમણૂક માટેની સમિતિની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ
