પ્રાદેશિક સમાચાર

જુલાઇ 18, 2024 8:01 પી એમ(PM)

views 18

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે ત્યારે આજે 65 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે ત્યારે આજે 65 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.. જેમાં અમરેલીના ખાંભા, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ભાવનગરમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો... જ્યારે અન્ય 17 તાલુકાઓમાં એકથી ઇંચથી ઓછો વરસાદ નોંધાયો...

જુલાઇ 18, 2024 7:59 પી એમ(PM)

views 23

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર,અમરેલી,મોરબી,ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કે...

જુલાઇ 18, 2024 7:57 પી એમ(PM)

views 19

સુરતના આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતના પલસાણા તાલુકામાં આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા નશીલા પદાર્થો માટે વપરાતી સમગ્રી સહિત અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીને આધારે ATSએ ગઈકાલે મોડી રાતે કાચા મકાનમાં ચાલતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. દરમિયાન ફેકટરીમાંથી પ્રવાહી સ્વરૂપે 31 લીટર એમ...

જુલાઇ 18, 2024 7:51 પી એમ(PM)

views 21

રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન

રાજ્યમાં શ્રમિક બસેરા યોજનાની ૧૭ સાઇટોનું આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિભૂજન થયું,તેમજ શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના...

જુલાઇ 18, 2024 7:47 પી એમ(PM)

views 15

ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્ર- iCAL નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

રાજકોટના એ.જી.ઓફિસ કેમ્પસ ખાતે આજે દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્ર- iCAL નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે બોલતા શ્રી મુર્મુએ જણાવ્યું કે,iCAL પ્લેટફોર્મ જવાબદારી અને શાસન વધારવા માટે સ્થાનિક સરકારોમાં નીતિ ઘડવૈયાઓ,વહીવટકર્તાઓ અને ...

જુલાઇ 18, 2024 7:40 પી એમ(PM)

views 38

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સજાગ બન્યું

રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા સંક્રમણને પગલે આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે.... જે અંતર્ગત, આજે જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠક યોજી. જીલ્લામાં જામજોધપુર અને ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ મળતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાંઓ લેવાઇ રહ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુ...

જુલાઇ 18, 2024 7:38 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી એ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા બેઠક કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરપાલિકાના કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આ...

જુલાઇ 18, 2024 7:19 પી એમ(PM)

views 16

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પાસે ગઈકાલે સાંજે એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પાસે ગઈકાલે સાંજે એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહ મળી આવતા વન વિભાગે તપાસ શરૂ કરી છે. મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુના જણાવ્યા મુજબ બે સિંહ બાળ કે જેની ઉંમર એકથી દોઢ વર્ષની હતી તેના મૃતદેહ પાણીની અંદરથી મળી આવ્યા છે જ્યારે સિંહણ પુખ્ત વયની હોવાને કારણે કુદરતી મૃત્યુ થયું...

જુલાઇ 18, 2024 7:15 પી એમ(PM)

views 20

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યના કુલ 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે એમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે આજે સવારે 8 વાગ્યાના અહેવ...

જુલાઇ 18, 2024 7:09 પી એમ(PM)

views 17

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 40 જેટલા તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડના તાલુકા, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર,ભાણવડ, જુનાગઢ તાલુકા અને શહેરમાં તેમજ નવસારીના જલાલપોરમાં એક ઇંચથી વધુ વરસાદના અહેવાલ છે. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.