પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 2, 2024 7:56 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહના 7 હજાર 497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા કરશે. અમદાવાદ મહાનગરપા...

ઓગસ્ટ 2, 2024 7:54 પી એમ(PM)

views 23

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને ટોલ ફ્રી નંબર–૧૯૩૦ પર તુરંત સંપર્ક કરવા જણાવ્યું. વધુમાં તેમણે મોબાઇલ પર પોતાના કોઇ...

ઓગસ્ટ 2, 2024 7:52 પી એમ(PM)

views 22

સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સુરતના ઓલપાડ ખાતે કરેલી દરોડાની કાર્યવાહીમાં પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે. આ ફેક્ટરી ખાતેથી આશરે ૨ લાખ રૂપિયાની કિંમતનું કાચો માલસામાન, ૭૦ હજાર રૂપિયાની કિંમતનું પેકીંગ મટ...

ઓગસ્ટ 2, 2024 7:50 પી એમ(PM)

views 23

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45 હજાર 155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી

રાજ્ય સરકારની ધોરણ-1થી 8માં અભ્યાસ કરતાં આદિજાતીના વિદ્યાર્થીઓને ગણવેશ લેવા માટે અપાતી સહાય યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 63 લાખથી વધુ વિદ્યાર્થીઓને 45 હજાર 155 લાખ રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવી છે. એવી જ રીતે, આદિજાતિના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળે તે હેતુથી અપાતી ભોજન સહાય યોજના છેલ્લા પાંચ વ...

ઓગસ્ટ 2, 2024 7:48 પી એમ(PM)

views 21

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા ખાતાધારકોને રાહત મળી છે.. પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેની તેમની નિતીમાં પણ સુધારો કર્યો છે. વધુમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, 20...

ઓગસ્ટ 2, 2024 7:47 પી એમ(PM)

views 20

રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રાખવાનો નિર્ણય કર્યો

રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રાખવાનો નિર્ણય કર્યો છે.. શિક્ષણ વિભાગ હસ્તકની લઘુમતી સિવાયની અનુદાનિત શાળાઓમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ...

ઓગસ્ટ 2, 2024 3:23 પી એમ(PM)

views 21

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે.તમામ જીલ્લાઓમાં તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગઇકાલેવધુ એક બાળકનું મૃત્યુ થયું છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લીના ચાર-ચાર બાળકો તેમજ રાજસ્થાનના બે બાળકોના મૃત્યુ...

ઓગસ્ટ 2, 2024 3:21 પી એમ(PM)

views 16

કેદારનાથમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

કેદારનાથમાં વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી હતી.કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉ...

ઓગસ્ટ 2, 2024 3:19 પી એમ(PM)

views 20

અનાજની અછત ધરાવતાં રાજ્યો ઇ-હરાજીમાં ભાગ લીધા વિના ઓપન માર્કેટ સેલસ્કીમ હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી સીધી ખરીદી કરી શકાશે

અનાજની અછત ધરાવતાં રાજ્યો ઇ-હરાજીમાં ભાગ લીધા વિના ઓપન માર્કેટ સેલસ્કીમ હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી સીધી ખરીદી કરી શકાશે. નવી ખરીદીની મોસમ શરૂ થાય તે પહેલાં જંગીફાજલ જથ્થાને ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમ...

ઓગસ્ટ 2, 2024 3:17 પી એમ(PM)

views 29

રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી

રાજ્યભરમાં “નારી વંદન સપ્તાહ”ની ઉજવણીનો થઇ રહી છે.. આઠમી ઓગસ્ટ સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાઇ રહ્યા છે.જે અંતર્ગત જામનગર શહેરમાં વી.એમ.મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.