પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 7, 2024 3:23 પી એમ(PM)

views 19

ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમ વાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું

ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમ વાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે આ નંદ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે લાભાર્થીઓ માટે સમાન વ્યવસ્થાપન પ્રણાલી અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા ...

ઓગસ્ટ 7, 2024 3:19 પી એમ(PM)

views 15

જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું મોત નીપજ્યું

જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંહ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું મોત નીપજ્યું છે. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, જિલ્લાના ધ્રોલની ચાર વર્ષની બાળકીનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, હજી બાળકીનો ચાંદીપુરા વાઈરસનો રિપોર્ટ આવવાનો બાકી...

ઓગસ્ટ 7, 2024 3:18 પી એમ(PM)

views 15

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 19 અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધાથી અંડરપાસમાં વરસાદી પાણી ભરાતાં જ દરવાજા આપમેળે બંધ થઈ જશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે, ચોમાસા દરમિયાન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાથી અંડરપાસ બંધ કરવા પડે છે. તેના ઉકેલ સ્વરૂપે મહાનગરપાલિકા શહે...

ઓગસ્ટ 7, 2024 3:15 પી એમ(PM)

views 15

દેશવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 15 લાખથી વધુ છોડનું વાવેતર થતાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે

દેશવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 15 લાખથી વધુ છોડનું વાવેતર થતાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. 37 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 29 કરોડ 37 લાખથી વધુ છોડના વાવેતરનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. રાજ્યના વન મંત્રી મુળૂભાઈ બેરાએ કહ્યું, ગ્ર...

ઓગસ્ટ 7, 2024 3:13 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલૉજી – NIFT ખાતે રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેકનોલૉજી – NIFT ખાતે રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી પટેલે NIFT દ્વારા યોજાયેલ હાથસાળ પ્રદર્શનને ખૂલ્લું મુક્યું. અહીં રાજ્ય સહિત દેશભરની વિવિધ હસ્તકલા કારીગરોની તેમ જ હાથસાળની વસ્તુઓ પ્રદર્શન માટે...

ઓગસ્ટ 7, 2024 11:01 એ એમ (AM)

views 17

રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે.

રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હાથશાળ ઉદ્યોગ ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદાન કરનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સમ્માનિત કરશે. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારતમાં હાથશાળ પરંપરામાં ટકાઉપણુ નામના પુસ્તકનું અનાવરણ પણ કરશે. દરમિયાન અમ...

ઓગસ્ટ 7, 2024 10:29 એ એમ (AM)

views 19

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગાયોજના અંતર્ગત જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગાયોજના અંતર્ગત જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી, નવા જોબકાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી આપી, સામૂહિક કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના...

ઓગસ્ટ 7, 2024 10:18 એ એમ (AM)

views 14

તિરંગા યાત્રા સંદર્ભે ગઈકાલે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

તિરંગા યાત્રા સંદર્ભે ગઈકાલે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ ગઈ. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ યાત્રાના સુચારું આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે કેટલાંક જરૂરી સૂચનો ...

ઓગસ્ટ 7, 2024 10:07 એ એમ (AM)

views 18

રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કે.વાય.સી ફરજિયાત કર્યું

રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કે.વાય.સી ફરજિયાત કર્યું છે, ત્યારે રેશનકાર્ડ માટે ઈ કેવાયસી સંદર્ભે રાજ્ય વ્યાપી ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારના મુખ્ય સચિવ રાજકુમારે ગઈકાલે ગાંધીનગરના મોટા ચિલોડા ગ્રામ પંચાયત ખાતે માટે ઈ-કે.વાય.સી અભિયાન સંદર્ભે ડેમોસ્ટ્રેશન નિહાળી સમગ્ર પ્રક...

ઓગસ્ટ 7, 2024 9:06 એ એમ (AM)

views 21

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી શરૂ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આગામી 21 ઑગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવા માટેની રજૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કરી છે. અધ્યક્ષે રાજ્યપાલ શ્રીને કરેલી રજૂઆતમાં 21 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી સભાગૃહ બોલાવવા માટેનું અહ્વાન કર્યું છે. અધ્યક્ષ દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ દિવસે સભાગૃહની બેઠકમાં ઉપસ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.