પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 15, 2024 4:03 પી એમ(PM)

views 24

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં... વલસાડના પારડીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ તિરંગો ફરકાવી આઝાદીના પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક અંતર્ગત વલસાડ જીલ્લામાં સી- ફૂડ પાર્ક બનશે તેવી પણ જાહેરાત કરી હતી...

ઓગસ્ટ 15, 2024 3:58 પી એમ(PM)

views 15

78માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી

78માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

ઓગસ્ટ 15, 2024 3:51 પી એમ(PM)

views 22

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરાઈ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરાઈ હતી. મુખ્યમંત્રીએ અહીં તિરંગો લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા.

ઓગસ્ટ 14, 2024 7:55 પી એમ(PM)

views 13

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે માનવીય અભિગમના ધોરણે રાજ્યની વિવિધ જેલોમાંથી સારા વ્યવહારને જોતા 86 જેટલા કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશા-નિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2...

ઓગસ્ટ 14, 2024 7:54 પી એમ(PM)

views 24

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે આગામી 26 ઑગસ્ટે પૉર્ટલ ખૂલ્લું મુકાશે. ઉમેદવારો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. પોલીસ ભરતી બૉર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું, આ વર્ષે સ્નાતક થયેલા ઉમેદવારો માટે પૉર્ટલ ફરી ખોલવામાં આવશે. આ ભરતી માટેની શારીરિક પરીક્ષા ચોમાસા પછી લેવાશે. રાજ્ય...

ઓગસ્ટ 14, 2024 7:53 પી એમ(PM)

views 14

સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં

રાજ્યમાં સરકારી શાળામાં પોતાના કર્તવ્યનું પાલન ન કરનારા અને ફરજચૂક કરનારા 134 શિક્ષક સામે શિક્ષણ વિભાગે ફરજમાંથી બરતરફ સુધીના પગલાં લીધાં છે. એમ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા શ્રી ડિંડોરે આ નિવેદન આપ્યું હતું. શિક્...

ઓગસ્ટ 14, 2024 7:52 પી એમ(PM)

views 13

ન્યૂ ઝિલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી

ન્યૂ ઝિલેન્ડના નવ સભ્યના પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં પ્રતિનિધિમંડળને રાજ્ય ખેતી, ડેરી ઉદ્યોગ, સહકાર, પુનઃપ્રાપ્ય ઊર્જા, પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશના લોકોમાં પરસ્પર લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક...

ઓગસ્ટ 14, 2024 7:50 પી એમ(PM)

views 17

ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો

ભારત સરકાર ખેડૂતો પાસેથી તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી સીધી જ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ખેતી નિયામકની કચેરીએ બંને અનાજનું મહત્તમ વાવેતર કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મહત્તમ અને આદર્શ બજારભાવ આધારિત આ ડાયનેમિક પ્રાઈઝથી જથ્થાની ખરીદી થતાં ખેડૂતોને તેનો મહત...

ઓગસ્ટ 14, 2024 7:49 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસકાંઠા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાશે. રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરત, ઋષિકેશ પટેલ મહેસાણા, રાઘવજી પટેલ જૂનાગ...

ઓગસ્ટ 14, 2024 7:47 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે. ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કરેલા પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના સાડાસાત દાયકા પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકદમ ભરી રહ્યો છે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.