પ્રાદેશિક સમાચાર

જૂન 25, 2024 3:59 પી એમ(PM) જૂન 25, 2024 3:59 પી એમ(PM)

views 38

ગાંધીનગર મનપા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસે માર્ગદર્શન પૂરું પાડ્યું ...

જૂન 25, 2024 4:08 પી એમ(PM) જૂન 25, 2024 4:08 પી એમ(PM)

views 4

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાશે

રાજ્યમાં આવતીકાલથી 28મી જૂન સુધી યોજાનારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં બાળકોને ગણવેશ પણ અપાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના અંદાજે ૧૫ લાખથી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોના શિક્ષણ અંગે ખાસ ૧૦૦ ...

જૂન 25, 2024 3:48 પી એમ(PM) જૂન 25, 2024 3:48 પી એમ(PM)

views 12

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો…

કન્યા કેળવણી રથયાત્રાને કારણે રાજ્યની દીકરીઓના શિક્ષણમાં સુધારો જોવા મળી રહ્યો છે અને પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો 1.31 ટકા જેટલો રહ્યો છે. રાજ્યની વધુને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા યોજે...

જૂન 25, 2024 3:42 પી એમ(PM) જૂન 25, 2024 3:42 પી એમ(PM)

views 4

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જે મુજબ ખેતી મદદનીશની 436 જગ્યાઓ, બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઉમેદવારો 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.

જૂન 25, 2024 3:40 પી એમ(PM) જૂન 25, 2024 3:40 પી એમ(PM)

views 4

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે

ગાંધી આશ્રમના ડીરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું આજે નિધન થયું છે.આજે વહેલી સવારે અમદાવાદમાં ચાંદખેડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમૃત મોદીના પાર્થિવ દેહને ગાંધી આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત ગાંધીવાદીઓએ અને લોકોએ તેમના અંતિમ દર્શન કરીન તેમને શ્રધ્ધાંજલી અર્પી હ...

જૂન 25, 2024 3:39 પી એમ(PM) જૂન 25, 2024 3:39 પી એમ(PM)

views 11

આજે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન, જ્યારે આવતીકાલે આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા મહેસાણા-પાલનપુર વિભાગમાં કામલી-સિદ્ધપુર સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી આજે બ્લૉક લેવાયો છે, જેના કારણે અનેક ટ્રેનને અસર થઈ છે. આજે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેન, જ્યારે આવતીકાલે આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. ઉપરાંત આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબર...

જૂન 18, 2024 4:43 પી એમ(PM) જૂન 18, 2024 4:43 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદીપભાઈ ધામેચા પરિવાર સહયોગથી આ બોરવેલને રિચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર, રાજકોટ અને જામનગરમાં બોરવેલ રીચાર્જ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્...

જૂન 18, 2024 4:40 પી એમ(PM) જૂન 18, 2024 4:40 પી એમ(PM)

views 5

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રા...

જૂન 18, 2024 4:37 પી એમ(PM) જૂન 18, 2024 4:37 પી એમ(PM)

views 3

આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે

આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ એક આનુવંશિક રક્ત વિકૃતિ ધરાવતો રોગ છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. રાજ્યમાં સિકલ સેલ એનિમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ...

જૂન 18, 2024 4:34 પી એમ(PM) જૂન 18, 2024 4:34 પી એમ(PM)

views 8

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી બેઠકમાં મીરાબેનના નામની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.. તેમનો કાર્યકાળ અઢી વર્ષ માટેનો રહેશે. જ્યારે નાયબ મેયર તરીકે નટવરજી ઠાકોરના નામની વરણી કરાઇ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.