પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 22, 2024 8:32 પી એમ(PM)

views 17

આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યનાં 43 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો

આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યનાં 43 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસા તાલુકામાં જ્યારે ગાંધીનગર જિલ્લાનાં માણસા અને પાટણના સરસ્વતી, ભાવનગરના મહુવા તાલુકામાં દોઢ- દોઢ ઇંચ અને પાટણ તથા ઊંઝા તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ આજે...

ઓગસ્ટ 22, 2024 8:30 પી એમ(PM)

views 8

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં અંદાજીત 80 કરોડ રૂપિયાના ખર્ચે 86.1 ફૂટ ઊંચુ મુખ્ય શિખર બનાવવામાં આવશે

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં અંદાજીત 80 કરોડ રૂપિયાના ખર્ચે 86.1 ફૂટ ઊંચુ મુખ્ય શિખર બનાવવામાં આવશે. આ સાથે મંદિરની બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બપોરે તેનું ખાતમૂહુર્ત કરશે.

ઓગસ્ટ 22, 2024 8:29 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પોલેન્ડની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વોર્સોમાં સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે નવા નગરન...

ઓગસ્ટ 22, 2024 8:26 પી એમ(PM)

views 22

નવી દિલ્હી ખાતે દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું

આવકવેરા વિભાગને ૧૬૫ વર્ષ પૂર્ણ થતાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નવી દિલ્હી ખાતે દેશના ૨૯ અધિકારીઓનું નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું.. જેમાં વલસાડના આવકવેરા અધિકારી ધર્મેન્દ્ર ટેકવાણીનું ૫૩ વર્ષ જુની ૧૦ કરોડથી વધુની વ્યાજ સાથેની વસૂલાત કરવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન ...

ઓગસ્ટ 22, 2024 8:22 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે

રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં GHCL ફાઉન્ડેશન દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું.. આ ઉપરાંત, ખેડુતોની આવક વૃદ્ધિ માટે રાહત દરે 18 હજાર ફળ પાકોનાં રોપાઓનું 300થી વધારે ખેડુતોને વિતરણ કરવામાં આવ્યું.. મ...

ઓગસ્ટ 22, 2024 8:17 પી એમ(PM)

views 19

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં વ્યાજ...

ઓગસ્ટ 22, 2024 8:11 પી એમ(PM)

views 16

બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20 કિલોમીટરથી વધુના માર્ગને દ્વિ-માર્ગીય બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી

રાજ્ય સરકારે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20 કિલોમીટરથી વધુના માર્ગને દ્વિ-માર્ગીય બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ બે રસ્તાઓની હાલની પોણા ચાર મીટરની પહોળાઈને વધારીને 7 મીટર કરીને તેને દ્વિ-માર્ગીય બનાવવામાં આવશે. શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃ...

ઓગસ્ટ 22, 2024 7:40 પી એમ(PM)

views 22

વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ – JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ

વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ - JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ. ભાજપના સાંસદ જગદમ્બિકા પાલના અધ્યક્ષપદે રચાયેલી JPCમાં 31 સાંસદો છે. આ પૈકી 21 સાંસદો લોકસભાના અને 10 સાંસદો રાજયસભાના છે. લોકસભાએ JPCને સંબંધિત વિધેયકની સમિક્ષા કરવા જણાવ્યું છે. આ બેઠકમાં લઘુમતિ બાબતોના અ...

ઓગસ્ટ 22, 2024 4:18 પી એમ(PM)

views 17

GPCB બૉર્ડ એ અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરોમાં કપડાંની થેલી માટેના 14 વિશેષ ATM મશીન લગાવ્યા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ– GPCBએ અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરોમાં કપડાંની થેલી માટેના 14 વિશેષ ATM મશીન લગાવ્યા છે. અહીં દર્શન માટે આવતા ભક્તોને હવે કપડાની થેલીમાં જ પ્રસાદ આપવામાં આવે છે. દર્શનાર્થીઓ ATMમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યૂઆર કૉડ ...

ઓગસ્ટ 22, 2024 4:13 પી એમ(PM)

views 23

આગામી સોમવારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે

આગામી સોમવારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે શ્રીજીની થશે. ત્યારબાદ સવારે 6થી 8 વાગ્યા સુધી મંગળા દર્શન, સવારે 8થી 9 વાગ્યા સુધી શ્રીજીના ખૂલ્લે પડદે સ્નાન દર્શન થશે. જ્યારે સવારે 9થી સાડા 9 વાગ્યા સુધી મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.