પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 3, 2024 7:26 પી એમ(PM)

views 14

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશની આવી પ્રથમ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રયોગશાળાના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ જિલ્લાના...

સપ્ટેમ્બર 3, 2024 7:25 પી એમ(PM)

views 11

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા સહકાર સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય અને ભૂગર્ભ જળના સંગ્રહનું સહકાર આગેવાનોને આહ્વાન કર્યું હતું.. ગાંધીનગરમાં સદસ્યતા અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્...

સપ્ટેમ્બર 3, 2024 7:23 પી એમ(PM)

views 15

ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા

ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા હતા . ગઇકાલે રાત્રે લોકો પાયલટે ગાધકડા-સાવરકુંડલા સેક્શન વચ્ચે 03 સિંહો રેલ્વે ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા, ત્યારે ગુડ્સ ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવીને લગભગ 100 મીટરના અંતરે રોકવામાં આવી હતી. લોકો પાયલોટ...

સપ્ટેમ્બર 3, 2024 7:20 પી એમ(PM)

views 13

રાજ્યનાં 187 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યનાં 187 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ભરૂચ જિલ્લાના વાલિયામાં 6.14 ઇંચ તેમજ નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. સુરતના ઉમરપાડામાં 4 ઇંચ, અને વલસાડમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સેવાશ્રમ રોડ, શક્તિ...

સપ્ટેમ્બર 2, 2024 7:41 પી એમ(PM)

views 21

ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની દરખાસ્ત મંજૂર

સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. 3,300 કરોડ રૂપિયાના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે. આ યુનિટની ...

સપ્ટેમ્બર 2, 2024 7:36 પી એમ(PM)

views 16

રાજ્યમાં આજે ફરીથી વરસાદી માહોલ જામ્યો

રાજ્યમાં આજે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તાપીના સોનગઢમાં 8.58 ઇંચ, વ્યારામાં 8.23, જ્યારે ડાંગના વઘઇમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીમાં ભારે વરસાદને પગલે વ્યારાના પ...

સપ્ટેમ્બર 2, 2024 7:30 પી એમ(PM)

views 21

સમગ્ર વિશ્વમાં આજે નાળિયેર દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરે નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં ૪ હજાર ૯૦૦ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં નાળિયેરનો વાવેતર વિસ્તાર ૨૧ હજાર ૬૩૩ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૩...

સપ્ટેમ્બર 2, 2024 7:27 પી એમ(PM)

views 19

રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે ધોવાઇ ગયેલ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં

રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક માર્ગો ધોવાઇ ગયા હતા. જેને કારણે નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી હતી..જેને કારણે યુધ્ધના ધોરણે માર્ગોના મરામતનું કામકાજ કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયા હતા. આ આદેશ બાદ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે.. જે અંતર્ગત અમદાવા...

સપ્ટેમ્બર 2, 2024 7:23 પી એમ(PM)

views 39

સ્ટાઇપેન્ડના મામલે હડતાળ કરી રહેલા નિવાસી અને ઇન્ટર્ન તબીબોને આવતીકાલે સવારે નવ વાગે ફરજ ઉપર હાજર થવા સરકારનું ફરમાન

રાજ્ય સરકારના સ્ટાઇપન્ડ વધારાના વિરોધમાં આંદોલન કરી રહેલા રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોને આવતીકાલ સવારે 9 વાગ્યા સુધીમાં પોતાની ફરજ પર હાજર થવા રાજ્ય સરકારે ફરમાન કર્યું છે. રાજ્ય સરકારે રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો કર્યો હતો, જેનો તબીબોએ વિરોધ કર્યો હતો. 31મી ઓગષ્ટથી આ તબીબો હડતાળ ઉ...

સપ્ટેમ્બર 2, 2024 7:21 પી એમ(PM)

views 14

અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

અતિભારે વરસાદને કારણે પુરથી પ્રભાવિત વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પુનઃસ્થાપનના કાર્યોની સમીક્ષા કરી હતી.શ્રી સંઘવીએ સર્વેની કામગીરી પૂરજોશમાં કરાવવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આગામી દસ દિવસ સુધી આરોગ્યલક્ષી સર્વેલન્સની કામગીરી કરવામાં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.