પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 12, 2024 7:41 પી એમ(PM)

views 9

રાજ્યના 14 નગરો અને એક મહાનગરનાં વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને સરકારની મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુવિધા માટે 14 નગરો અને એક મહાનગરમાં અંદાજે 254 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, પાટણ, વેરાવળ, બોટાદ, પોરબંદર, છાયા તેમજ ચોરવાડ, ટંકારા ...

નવેમ્બર 12, 2024 7:19 પી એમ(PM)

views 8

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડતાલ ખાતે ચાલી રહેલા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવને સંબોધતા ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરવામાં સ્વામીનારાયણ સંપ્રદાયના યોગદાનને બિરદાવ્યું હતું. રાજયપાલે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જો...

નવેમ્બર 12, 2024 7:17 પી એમ(PM)

views 11

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવતીકાલે – કુલ દસ ઉમેદવારો મેદાનમાં

આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાશે. વાવ વિધાનસભાના 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધી સવજી ચૌધરી જણાવે છે કે, આ ચૂંટણીમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના 2 ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના ઉમેદવાર ઉપર...

નવેમ્બર 12, 2024 7:09 પી એમ(PM)

views 6

જૂનાગઢ જિલ્લામાં લીલી પરિક્રમા તથા સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળનો આજથી પ્રારંભ

જૂનાગઢ જિલ્લામાં આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. સામાન્ય રીતે આજે રાત્રે 12 વાગ્યે શરૂ થતી લીલી પરિક્રમા આ વર્ષે યાત્રાળુઓના ઘસારાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ગઈકાલે જ  ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. અંદાજે બે લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા શરૂ કરી હતી. વન વિભાગના જણાવ્યા અનુસાર ઇટાવા ચેક પોસ્ટ...

નવેમ્બર 12, 2024 7:00 પી એમ(PM)

views 7

સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં ઓનલાઈન ફરિયાદ માટે “સિંગલ ઓનલાઈન પોર્ટલ E-CGRF” નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેંન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ - CGRF માં ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે “સિંગલ ઓનલાઈન પોર્ટલ ઈ-CGRF” નો શુભારંભ કરવામાં આવ્યો. આ પોર્ટલ થકી ગ્રાહકને ઈ-ફાઈલિંગ, એપ્લીકેશન ટ્રેકિંગ, ઓનલાઈન ઓર્ડેર જેવી સુ...

નવેમ્બર 12, 2024 6:54 પી એમ(PM)

views 10

રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓના દિવસ અને રાત્રિનાં લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો

રાજ્યમાં દિવસે ગરમી અને સાંજ પડતા જ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ આ સ્થિતિ યથાવત રહેશે એમ હવામાન વિભાગે આગાહી કરી છે.જોકે વિવિધ જિલ્લામાં દિવસ અને રાત્રિનાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગના નિદેશક એ કે દાસના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓના લઘુત...

નવેમ્બર 12, 2024 3:30 પી એમ(PM)

views 7

અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે 15 થી 19 નવેમ્બર દરમિયાન “પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વન ઔષધીય વેચાણ અને પ્રદર્શન” મેળો યોજાશે

આદિવાસી સમાજના ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે ૧૫ થી ૧૯ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વન ઔષધીય વેચાણ અને પ્રદર્શન મેળો યોજાશે. આ મેળામાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લાના હસ્ત કલાકારો તેમની ભ...

નવેમ્બર 12, 2024 3:28 પી એમ(PM)

views 7

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા કાર્તિકી પૂર્ણિમાના મેળાના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેવાયત ખવડ અને બિરજુ બારોટે લોકસાહિત્ય તેમજ લોકગીતની પ્...

નવેમ્બર 12, 2024 3:27 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં શાસ્ત્રીય સંગીતની બે પ્રતિભાઓનું તાના-રીરી એવોર્ડથી ગૌરવ સન્માન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં શાસ્ત્રીય સંગીતની બે પ્રતિભાઓનું તાના-રીરી એવોર્ડથી ગૌરવ સન્માન કર્યુ હતું. મહારાષ્ટ્રનાં વિદુષી પદ્મા સુરેશ તળવલકર અને અમદાવાદના ડૉક્ટર શ્રીમતી પ્રદિપ્તા ગાંગુલીને અઢી લાખની પુરસ્કાર રાશિ, તામ્રપત્ર તથા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગઇ કાલે તાના-રીરી મહોત્સવના...

નવેમ્બર 12, 2024 3:24 પી એમ(PM)

views 8

વલસાડ જિલ્લાના કપરાડાના મંડવા ગામે આજે બસ પલટી જતાં અકસ્માત સર્જાયો

વલસાડ જિલ્લાના કપરાડાના મંડવા ગામે આજે બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે, જેમાં એકનું મોત થયું છે, જ્યારે 30 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. શિરડી સાંઈ બાબા મંદિરથી યાત્રાળુઓ ભરેલી બસ સુરત પરત આવી રહી હતી, એ સમયે કપરાડાના મંડવા ગામ પાસે કુંભ ઘાટ નજીક ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવતા બસ પલટી થતાં આ ઘટના બન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.