પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM)

views 20

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં પણ હજુ દિવસે ગરમી હોય છે. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં મહત્તમ 3...

નવેમ્બર 13, 2024 9:41 એ એમ (AM)

views 15

દીપડા પર તપાસ રાખવા માટે વન વિભાગ દ્વારા બચાવવામાં આવેલા દીપડાને તેની પૂંછડીની અંદર ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ લગાવીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે.

જંગલમાં વસતા દીપડા સહિતનાં પ્રાણીઓ માનવ વસતિમાં આવીને હૂમલો કરતા હોવાનાં બનાવો વધી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વન વિભાગે ટેકનોલોજીની મદદથી આ સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. દીપડા પર તપાસ રાખવા માટે વન વિભાગ દ્વારા બચાવવામાં આવેલા દીપડાને તેની પૂંછડીની અંદર ઇલેક્ટ્રોનિક માઈક્રોચીપ લગાવીને તેને ...

નવેમ્બર 13, 2024 9:26 એ એમ (AM)

views 10

ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુની તપાસ સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ-SAFUને સોંપવામાં આવી – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આજે બેઠક યોજાશે.

અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની કથિત બેદરકારીને પગલે બે દર્દીનાં મૃત્યુ થતાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ઘટનાને ગંભીર ગણાવીને ગઈ કાલે સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ-SAFUને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે...

નવેમ્બર 13, 2024 9:02 એ એમ (AM)

views 9

ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટીકીટ સંગ્રહ કરવા માટે નવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટીકીટ સંગ્રહ કરવા માટે નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગઈ કાલે રાજકોટમાં સેન્ટ પોલ સ્કૂલના રજત જયંતી વર્ષ નિમિત્તે રાજકોટના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે વિશેષ આવરણનું વિમોચન કર્યું હતું. શ્રી યાદવે કહ્યું કે ટપાલ ટીકીટ એ ‘‘નન્હા રાજદૂત’’ છે, જે વિવિધ દેશોમાં...

નવેમ્બર 13, 2024 8:58 એ એમ (AM)

views 10

અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના મીડિયા કર્મીઓ, તેમજ સામાજિક સંસ્થાઓ માટે અકસ્માત અને ટપાલ વિભાગની પોલિસી આપવાનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના મીડિયા કર્મીઓ, તેમજ સામાજિક સંસ્થાઓ માટે અકસ્માત અને ટપાલ વિભાગની પોલિસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને આયુષ્યમાન ભારત યોજનાનાં કાર્ડ કઢાવી આપવામાં આવ્યા હતા. મોડાસાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય તેમજ વીમા પોલિ...

નવેમ્બર 13, 2024 8:37 એ એમ (AM)

views 22

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ ચૂંટણીમાં 3 લાખ 10 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ વિધાનસભા મતવિસ્તારના ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન માટે ૩૨...

નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇ કાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રીમતી મુર્મૂ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે. તેઓ સેલવાસમાં નમો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ ...

નવેમ્બર 12, 2024 7:42 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવની ત્રણ દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. સુશ્રી મુર્મુએ આજે સાંજે જમ્પોરમાં પક્ષીગૃહ, દમણમાં સરકારી ઇજનેરી મહાવિદ્યાલય અને નિફ્ટ પરિસરની મુલાકાત લીધી હતી. આવતીકાલે શ્રીમતી મુર્મૂ સેલવાસમાં નમૉ આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખા...

નવેમ્બર 12, 2024 7:23 પી એમ(PM)

views 7

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા લીધેલાં પગલાંથી માર્ગ અકસ્માતની સંખ્યામાં અને મૃત્યુનાં પ્રમાણમાં ઘટાડો થયો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા લીધેલાં પગલાંથી માર્ગ અકસ્માતની સંખ્યામાં અને મૃત્યુનાં પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લાં ૧૦ મહિનામાં પોલીસને ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે. શહેર પોલીસે અમદાવાદ શહેરમાં બનતા જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવોનું મેપીંગ કરીને આ અકસ્માત ઝોનમાં રોડ એન...

નવેમ્બર 12, 2024 7:22 પી એમ(PM)

views 7

દેવઉઠી અગિયારસના દિવસે રાજ્યના ઘણાં સ્થળોએ લોકમેળાનું આયોજન

આજે દેવઉઠી અગિયારસના દિવસે રાજ્યના ઘણાં સ્થળોએ લોકમેળા યોજાઇ રહ્યા છે. અમારા ગીરસોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પ્રથમ દિવસે એક લાખથી વધુ સેહલાણીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મેળામાં રાઇડ્સ, હસ્તકલા અને ફૂડ સ્ટોલ્સ તેમજ વિવિધ સેલ્ફી પોઈન્ટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.