પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 30, 2024 6:37 પી એમ(PM)

views 10

જુનાગઢની ભક્ત કવિનરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આંતરકોલેજ ખેડૂત રમતોત્સવ શરૂ થયો

જુનાગઢની ભક્ત કવિનરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આંતરકોલેજ ખેડૂત રમતોત્સવ શરૂ થયો છે. જુનાગઢથી અમારાં પ્રતિનિધિ સંજીવમેહતા જણાવે છે કે, આ રમતોત્સવમાં ચાર જિલ્લાની 34 કોલેજના 170 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે .જેમાં દોડ, ભાલા ફેલ, ચક્ર ફેંક સહિતનીએથલેટિક રમતોનો સમાવેશ કરાયો છે

નવેમ્બર 30, 2024 6:32 પી એમ(PM)

views 9

વલસાડની મહિલા પાવર લિફ્ટરે રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 2 સુવર્ણ સહિત 5 ચંદ્રકો જીત્યાં

વલસાડની મહિલા પાવર લિફ્ટરે રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 2 સુવર્ણ સહિત 5 ચંદ્રકો જીતી લીધા છે. વલસાડથી અમારાં પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ,જિલ્લાના ક્રિષ્ના કદમે તાજેતરમાંરશિયામાંમોસ્કો ખાતે વર્લ્ડ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સ્કવોટ્સમાં અનેડેડ લિફ્ટમાં એમબ...

નવેમ્બર 30, 2024 7:52 પી એમ(PM)

views 9

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ધોરણે વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિ...

નવેમ્બર 30, 2024 3:46 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪’નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૪'નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધર ઓફ ડેમોક્રેસી - ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક ...

નવેમ્બર 30, 2024 3:44 પી એમ(PM)

views 13

ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજીસ્ટ્રીમાં પ્રથમ ક્રમે..

રાજ્યમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના જમીન દસ્તાવેજને આધાર સાથે યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે નોંધણી માટે જે ખામી સર્જાઇ હતી, તે ખામી હવે દૂર થતા ફરી નોંધણી પ્રક્રિયા શરૂ થઇ છે. અત્યાર સુધીમાં રાજ્યના ૧૧ લાખ ૫૭ હજારથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરી છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશ...

નવેમ્બર 30, 2024 3:43 પી એમ(PM)

views 10

સુરતના સચિનમાં આવેલા પાલી ગામે આઇસ્ક્રિમ ખાધા બાદ ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં

સુરતના સચિનમાં આવેલા પાલી ગામે આઇસ્ક્રિમ ખાધા બાદ ત્રણ બાળકીઓના મોત નિપજ્યાં છે.. જ્યારે એક બાળક સારવાર હેઠળ છે. ત્રણ બાળકીઓ સહીત એક બાળક રમી રહ્યા હતા, ત્યારે તેઓએ આઇસ્ક્રીમ ખાધા બાદ ચારેની તબિયત લથડી હતી. તેમણે ઉલટીઓ કરવાનું શરૂ કરતાં તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાંથી વધુ...

નવેમ્બર 30, 2024 3:42 પી એમ(PM)

views 9

કચ્છમાં જોવા મળતા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિ ચાર દિવસના ક્ચ્છ પ્રવાસે આવશે.

કચ્છમાં જોવા મળતા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિ ચાર દિવસના ક્ચ્છ પ્રવાસે આવશે. અગાઉ આ સમિતિએ રાજસ્થાનની મુલાકાત લીધી હતી. કચ્છમાં પાવર લાઇનો ભૂગર્ભમાં પાથરવા ક્ષેત્રો સૂચવી શકાય અને સ્ટેકહોલ્ડર સાથે ચર્ચા થાય તે માટે, નિર્ધારીત બેઠકોનો દોર યોજવામાં આવશે. આ સમિત...

નવેમ્બર 30, 2024 3:41 પી એમ(PM)

views 14

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોક લેવાના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં બ્લોક લેવાના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવાનો હોવાથી કેટલીક ટ્રેનોને અસર થશે. જે મુજબ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ આ...

નવેમ્બર 30, 2024 3:38 પી એમ(PM)

views 8

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લીધી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજ્યની એક દિવસની મુલાકાત અંતર્ગત સુરતના કીમ આવ્યા આવ્યા હતા. તેઓએ બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લઇને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓ લોકાદરાના પ્લાસર ઇન્ડિયા ફેકટરીની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ આજે સાંજે વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના...

નવેમ્બર 30, 2024 3:35 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યુવા પેઢીને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણ માટે 14 કરોડ કરતાં વધુના ખર્ચે નવનિર્મિત શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.