પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 18, 2024 11:24 એ એમ (AM)

views 11

આગામી દિવસોમાં રાજ્યમાં શીતલહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી

રાજ્યભરમાં ઠંડીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછુ 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું..જ્યારે રાજકોટમાં 10.8 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. આ સિઝનમાં અમદાવાદનુ તાપમાન પ્રથમ વખત 11.8 નોંધાતા લોકોને કડકડતી ઠંડ...

ડિસેમ્બર 18, 2024 11:15 એ એમ (AM)

views 5

રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજારથી વધુ લાભાર્થીઓને લાભ અપાયા

રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજારથી વધુ લાભાર્થીઓને લાભ અપાયા છે. ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ કરાયો છે. વર્ષ 2016માં 23 સેવાઓથી શરૂ થયેલા સેવાસેતુ કાર્યક્રમમાં હાલમાં ...

ડિસેમ્બર 18, 2024 11:00 એ એમ (AM)

views 9

અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા’માં શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહરાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો ઘટાડવા હજુ વધુ કડકાઈથી ટ્રાફિક નિયમનનું પાલન કરાવાશે તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.. ટ્રાફિક જાગૃતિ માટે અમદાવાદમાં આયોજીત શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવાના પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની નાઇટ કોમ્બિંગની કામગીરીને પણ બિરદાવી હતી....

ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 53

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર્યું હતું કે વિધેયકને જેપીસીને મોકલવું જોઈએ કારણ કે તેના પર દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ. જેપીસી એ ચોક્કસ ...

ડિસેમ્બર 17, 2024 7:46 પી એમ(PM)

views 12

રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર કરાશે

રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર કરાશે. આ યોજના અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બૉર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ 5 રૂપિયાના ટૉકન દરે હંગામી આવાસ મળી રહેશે. જ્યારે લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે ભાડું લેવામ...

ડિસેમ્બર 17, 2024 6:32 પી એમ(PM)

views 10

અમદાવાદ ગુનાશાખાએ પાત્રતા સિવાયના લોકોને PMJAY કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી.

અમદાવાદ ગુના શાખાએ પાત્રતા સિવાયના લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM-JAY કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી છે. ગુના શાખા આવતીકાલે આ તમામ લોકોને અમદાવાદની મેટ્રૉ અદાલતમાં રજૂ કરી શકે છે. અટકાયત કરાયેલા લોકોએ અત્યાર સુધીમાં ત્રણ હજાર જેટલા PM-JAY કાર્ડ બનાવ્યા છે. ઉપરાંત ખ્યાતિ હૉસ્પિટલના 1...

ડિસેમ્બર 17, 2024 6:19 પી એમ(PM)

views 12

આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 48 કલાક કચ્છમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણ સાથે તાપમાન યથાવત્ રહેશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતાં ઠ...

ડિસેમ્બર 17, 2024 6:11 પી એમ(PM)

views 10

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી છે. ગાંધીનગર જિલ્લાના ભાદોલ ગામમાં જિલ્લા તંત્ર અને આત્મા પ્રૉજેક્ટ દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોએ પણ શ્રી દેવવ્રતને પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી આપી હતી.શ્રી દેવવ્રતે કહ્યું,‘આત્મા પ્રૉજેક્ટ દ...

ડિસેમ્બર 17, 2024 6:03 પી એમ(PM)

views 7

તાપી જિલ્લાના વ્યારા ખાતે બ્લોક લેવલ રમતોનું આયોજન નવજાગૃતિ સંસ્કૃત મહા વિદ્યાલય અને શિવદુતી સાયન્સ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું

તાપી જિલ્લાના વ્યારા ખાતે બ્લોક લેવલ રમતોનું આયોજન નવજાગૃતિ સંસ્કૃત મહા વિદ્યાલય અને શિવદુતી સાયન્સ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારનાં યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલયના યુવા નહેરુ કેન્દ્રનાં માધ્યમથી બ્લોક લેવલ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે,જેમાં કબડ્ડી, ખો-ખો, લાંબી કૂદ સહિત...

ડિસેમ્બર 17, 2024 3:28 પી એમ(PM)

views 14

રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 લાભાર્થીઓને લાભ અપાયો

રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના 10 તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 લાભાર્થીઓને લાભ અપાતા, 99.89 ટકા અરજીનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે. ડિસેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરીકક્ષાએ મળેલી 100 ટકા અરજીઓનો નિકાલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.