પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM)

views 47

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના એક દિવસીય પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

ડિસેમ્બર 29, 2024 7:19 પી એમ(PM)

views 8

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રધ્ધાંજલી અર્પવા માટે આવતીકાલે અમદાવાદમાં પ્રાર્થના સભા યોજાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રધ્ધાંજલી અર્પવા માટે આવતીકાલે અમદાવાદમાં પ્રાર્થના સભા યોજાશે.એલિસબ્રિજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ દ્વારા આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજ પાંચ વાગે આ પ્રાર્થના સભા યોજવામાં આવી છે.

ડિસેમ્બર 29, 2024 7:18 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે આવી રહ્યાં છે. આજે મોડી સાંજે તેમનુ અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થશે. આવતીકાલે તેઓ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ અમદાવાદ ખાતે પરત આવીને 31મી ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થશે.

ડિસેમ્બર 29, 2024 7:17 પી એમ(PM)

views 11

અરવલ્લી જિલ્લામાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરે રાત્રે યોજાનાર પાર્ટીને ધ્યાનમાં રાખીને પોલિસ અધિકારીઓની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ ગઇ

અરવલ્લી જિલ્લામાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરે રાત્રે યોજાનાર પાર્ટીને ધ્યાનમાં રાખીને પોલિસ અધિકારીઓની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં હોટલ, પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસના માલિકો સાથે મીટીંગ કરી તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં બ્રીથ એનેલાઈઝર મશી...

ડિસેમ્બર 29, 2024 7:14 પી એમ(PM)

views 7

પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના ચાલુ નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.કુલ 95 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. જેથી 48 ટ્ર...

ડિસેમ્બર 29, 2024 7:12 પી એમ(PM)

views 7

પાટણમાં લોકો સ્વાસ્થય પ્રત્યે જાગૃત થાય તેવા આશયથી આજે વહેલી સવારે મેરેથોન યોજાઇ હતી

પાટણમાં લોકો સ્વાસ્થય પ્રત્યે જાગૃત થાય તેવા આશયથી આજે વહેલી સવારે મેરેથોન યોજાઇ હતી. આ મેરેથોનમાં 2 કિ.મી., 5 કિ.મી., 11 કિ.મી. અને 21 કિલોમીટરની દોડ યોજાઇ હતી. જેમાં બાળકોથી લઈને યુવાનો, વયોવૃદ્ધ ભાઈ-બહેનો, ડોક્ટરો વગેરે ઉત્સાહ અને ઉમળકાથી જોડાયા હતા. મેરેથોન પૂર્ણ થયા બાદ જીમખાના ગ્રાઉન્ડમાં ઇનામ...

ડિસેમ્બર 29, 2024 7:10 પી એમ(PM)

views 7

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેવાની શક્યતા છે અને તાપમાન યથાવત રહેશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેવાની શક્યતા છે અને તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, રાજ્યમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બરફીલા પવનો આવી રહ્યા હતા, તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફની રહેવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર- કચ્છ...

ડિસેમ્બર 29, 2024 7:05 પી એમ(PM)

views 9

રતમાં ATS અને શહેર SOG પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું

સુરતમાં ATS અને શહેર SOG પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાઇવર્ટ કરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન કરવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.સુરતના અડાજણના ઝોયાજ હબ અને વેસુના એક્સુલ્યુટ દુકાનોમાં દરોડા પાડીને પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.. અડાજણ ઝોયાજ...

ડિસેમ્બર 29, 2024 8:34 એ એમ (AM)

views 22

દર્દીઓને મહત્તમ દવાઓ હોસ્પિટલ મળે અને બહારથી દવા ન લખાય તે માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચના

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે દર્દીઓને મહત્તમ દવા હોસ્પિટલમાંથી જ મળી રહે અને બહારની દવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન લખાય તે માટે તાકીદ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગમાં આરોગ્યલક્ષી સારવાર તે...

ડિસેમ્બર 28, 2024 7:01 પી એમ(PM)

views 23

ગાંધીનગર: વિકસિત ભારત યંગ લિડર્સ ડાયલોગ અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઇ

આજે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન ખાતે વિકસિત ભારત યંગ લિડર્સ ડાયલોગ અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય એનએસએસ તેમજ માય ભારતના સંયુક્ત ઉપક્રમે યજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી પસંદ કરાયેલા યુવાનોએ ભાગ લીધો હતો. આઇઆઇટીએના કુલપત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.