પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 1, 2026 7:32 પી એમ(PM)

views 7

ભરૂચમાં ગેરકાયદે રીતે માટીનું વહન કરનારા 8 વાહન સહિત કુલ બે કરોડ 80 લાખ જેટલો સામાન કબજે કરાયો.

ભરૂચમાં ગેરકાયદે રીતે માટીનું વહન કરનારા 8 વાહન સહિત કુલ બે કરોડ 80 લાખ જેટલો સામાન કબજે કરાયો છે. ભરુચ પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર અને ભૂસ્તર વિભાગની સયુંક્ત ટુકડીએ વાગરા તાલુકામાં અલાદર ગામ પાસે દરોડા પાડી આ સામાન કબજે કરી સ્થળ પર જ 10 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કર્યો હતો.

જાન્યુઆરી 1, 2026 7:21 પી એમ(PM)

views 8

કૅબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટના પ્રવાસે આવશે.

કૅબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટના પ્રવાસે આવશે. શ્રી મોદી કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં ઉપસ્થિત રહેશે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતાં શ્રી વાઘાણીએ આ માહિતી આપી હતી.

જાન્યુઆરી 1, 2026 4:31 પી એમ(PM)

views 7

અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ ટ્રૅન આગામી 17 જાન્યુઆરી સુધી આંશિક રીતે રદ રહેશે.

અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ ટ્રૅન આગામી 17 જાન્યુઆરી સુધી આંશિક રીતે રદ રહેશે. કાંદિવલી-બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઈનના કામને પૂર્ણ કરવા માટે 18 જાન્યુઆરી સુધી બ્લૉક લેવાયો છે. તેના કારણે આ ટ્રૅન આંશિક રદ રહેશે. અમદાવાદથી ઉપડનારી અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ વસઈ રોડ પર આગામી 17 તારીખ સુધી શૉર્ટ ટર્મિનેટ રહ...

જાન્યુઆરી 1, 2026 4:32 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 14-મા આંતર-રાષ્ટ્રીય ફ્લાવર શૉનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે આગામી 22 જાન્યુઆરી સુધી યોજાનારા આ શૉમાં બનાવાયેલા વિવિધ ઝૉનની મુલાકાત લઈ વિવિધ આકર્ષણ નીહાળ્યા. તેમણે “સ્ત્રી સશક્તિકરણ”ની વિષયવસ્તુ પર તૈયાર કરાયેલા સ્કલ્પચર એટલે કે, શિલ્...

જાન્યુઆરી 1, 2026 4:33 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણામાં અંદાજે 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણામાં અંદાજે 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહેસાણાને મહાનગરપાલિકા તરીકે એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિલ્લાના નગરગૃહ ખાતે મુખ્યમંત્રી આ વિકાસકાર્યોની ભેટ આપશે.

જાન્યુઆરી 1, 2026 4:34 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 497 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતેથી વિરમગામ વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 497 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે ગ્રૉથ ઍન્જિન બન્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે આ વિકાસકાર્યોથી વિરમગામ માટે...

જાન્યુઆરી 1, 2026 4:42 પી એમ(PM)

views 5

રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કિસ્સાને લઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી.

રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કિસ્સાને લઈ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી માનસિક સ્વાસ્થ્ય નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. ત્યારે છોટાઉદેપુરની શાળા અને મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ગંભીર પગલાં ન લે તેવા પ્રયાસ હાથ ધરાયા છે.આ અંગે બોડેલીમાં આવેલી ટી. સી. કાપડિયા મહાવ...

જાન્યુઆરી 1, 2026 4:45 પી એમ(PM)

views 11

નવા વર્ષ 2026ના પહેલા દિવસે રાજ્યમાં આજે એક લાખથી વધુ નાગરિકે સૂર્ય નમસ્કાર અને ધ્યાન ધરીને પ્રથમ સૂર્યકિરણને વધાવી.

નવા વર્ષ 2026ના પહેલા દિવસે રાજ્યમાં આજે એક લાખથી વધુ નાગરિકે સૂર્ય નમસ્કાર અને ધ્યાન ધરીને પ્રથમ સૂર્યકિરણને વધાવી. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનમાં રાજ્યના યુવાનોએ ભારતીય સંસ્કૃતિની શક્તિ બતાવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બૉર્ડના અધ્યક્ષ શિશપાલ સિંહ તેમાં વર્ચ્યૂઅલ જોડા...

જાન્યુઆરી 1, 2026 4:49 પી એમ(PM)

views 5

રાજ્યમાં આ વર્ષે 93 હજાર સહિત ગત ત્રણ વર્ષમાં બે લાખ 58 હજારથી વધુ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર મળ્યું.

રાજ્યમાં આ વર્ષે 93 હજાર સહિત ગત ત્રણ વર્ષમાં બે લાખ 58 હજારથી વધુ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર મળ્યું છે. લાભાર્થીને એક લાખ 20 હજારની તબક્કાવાર સહાય અને રૂફ કાસ્ટ તબક્કે વધારા 50 હજાર રૂપિયાની સહાય અપાય છે. જ્યારે પ્લોટવિહોણા અંદાજે ત્રણ હજાર પરિવારને વધારાની એક લાખ રૂપિયાની સહાયની જોગવ...

જાન્યુઆરી 1, 2026 4:51 પી એમ(PM)

views 4

વર્ષ 2025માં બે લાખ 15 હજાર 755 પ્રવાસીએ પાટણની પ્રસિદ્ધ રાણ કી વાવની મુલાકાત લીધી.

વર્ષ 2025માં બે લાખ 15 હજાર 755 પ્રવાસીએ પાટણની પ્રસિદ્ધ રાણ કી વાવની મુલાકાત લીધી. તેના કારણે પુરાતત્વ વિભાગને પ્રવાસીઓ પાસેથી 99 લાખ 40 હજાર 600 રૂપિયાની આવક થઈ છે. જોકે, વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, સાત માળની અદભૂત રાણકી વાવ તેન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.