પ્રાદેશિક સમાચાર

મે 1, 2025 9:33 એ એમ (AM)

views 17

રાજ્યના 65-મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે પંચમહાલના ગોધરામાં કરાશે

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે રાજ્યના 65-મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રી પટેલ 649 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામની ભેટ આપશે.આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે પાવનધરા પંચમહાલ, વિઝન ડૉક્યૂમેન્ટ્સ...

એપ્રિલ 30, 2025 10:33 એ એમ (AM)

views 9

D.R.I.ની ટુકડીએ અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 37 કરોડ રૂપિયાનો કેફી પદાર્થનો જથ્થો પકડ્યો

ડિરેક્ટૉરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજૅન્સ- D.R.I.ની ટુકડીએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતર-રાષ્ટ્રીય હવાઈમથક પરથી 37 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ પકડ્યો છે.અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, D.R.I.ની ટુકડીએ અમદાવાદ કસ્ટમ વિભાગની મદદથી બેંગકોકથી આવી રહેલા ચાર ભારતીય નાગરિકને અટકાવ્યા હતા. તેમની છ બેગની ત...

એપ્રિલ 30, 2025 10:30 એ એમ (AM)

views 15

અમદાવાદના ચંડોળા તળાવ પરથી 60 હજાર ચોરસ મીટરનું દબાણ હટાવાયું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામગીરીની સમીક્ષા કરી

અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે ચંડોળા તળાવ ખાતે દબાણ દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરી હતી. દરમિયાન ચંડોળા તળાવ ઉપર અંદાજે એક લાખ 25 હજાર ચોરસ મીટર દબાણમાંથી 60 હજાર ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું હતું. આ કામગીરીમાં બે હજારથી વધુ પોલીસકર્મી, S.R.P.ની 15 કંપની, મહાનગરપાલિકાના એક હજાર 800 જેટલા કર...

એપ્રિલ 30, 2025 10:27 એ એમ (AM)

views 14

ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠકનું આયોજન યોજાશે

ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં અમદાવાદમાં દબાણ હટાવવાની ચાલી રહેલી કામગીરીની માહિતી રજૂ કરાશે. ઉપરાંત ઘૂસણખોર બાંગ્લાદેશી નાગરિકોને ઓળખવાની અને તેમને પકડવા ચાલી રહેલા કામગીર...

એપ્રિલ 29, 2025 10:02 એ એમ (AM)

views 12

અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

પ્રસિધ્ધ તીર્થસ્થાન શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમા આવતીકાલે 30મી એપ્રિલ વૈશાખ સુદ ત્રીજથી 26મી જૂનને અષાઢ સુદ એકમ સુધી માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.આરતી સવારે સાતથી સાડા સાત,...

એપ્રિલ 29, 2025 9:58 એ એમ (AM)

views 11

કચ્છમાં થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના પાલારા નજીક ખાવડા નેશનલ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં પતિ, પત્ની અને બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બાઇક અને ટ્રેઈલર, ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. અકસ્માતની ઘટના સર્જયા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી બચાવ કામગીરી...

એપ્રિલ 29, 2025 9:55 એ એમ (AM)

views 15

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ 86 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

ગરીબ અને વંચિત બાળકોને શાળાઓમાં પ્રવેશ આપતા કાયદા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે વિવિધ શાળાઓમાં 86 હજાર 274 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.રાજ્યની નવ હજાર સાતસો એકતાળિસ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આ પ્રવેશ અપાયો છે. બે લાખ 38 હજાર જેટલી અરજીઓ પ્રવેશ માટે ...

એપ્રિલ 29, 2025 9:54 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 101 નિરણ કેન્દ્રોનો આરંભ કરાવીને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેઓ વિવિધ લોકાર્પણ અને ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેઓ અબડાસાના જખૌ ખાતે સંત ઓધવ‌રામજી મંદિરના દર્શન કરશે.ત્યારબાદ મુખ્યમંત્રી જખૌ ઓધવધામ ખાતે નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય ...

એપ્રિલ 28, 2025 9:26 એ એમ (AM)

views 10

રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે આદિવાસી સમુદાય પાસે જમીનની જાળવણીના પાઠ શીખવા અપીલ કરી

રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે કહ્યું, આદિવાસી જીવન ધરતી અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આદિવાસી સમુદાય પાસે ધરતી માતાની જાળવણી અને પ્રકૃતિ સાથે કઈ રીતે જોડાવવું એ લોકોએ શીખવું જોઈએ.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લિગલ અવેરનેસ એન્ડ એમ્પ...

એપ્રિલ 28, 2025 9:24 એ એમ (AM)

views 15

રાજ્યના શહેરી વિસ્તારોમાં ચોમાસા પહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 50 લાખથી વધુ વૃક્ષ વાવવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યના શહેરી વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 50 લાખથી વધુ વૃક્ષ વાવવામાં આવશે. દરમિયાન અમદાવાદ શહેરમાં ગત ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. મહાનગરપાલિકાએ આ વર્ષે શહેરમાં 40 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ રાખ્યો છે. પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.