પ્રાદેશિક સમાચાર

મે 3, 2025 9:39 એ એમ (AM)

views 12

અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા ચાર હજાર કાચા પાકા મકાનો દૂર કરીને દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લુ કરતું તંત્ર

અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદે બંધાયેલા ચાર હજાર કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આ તોડી પાડવામાં આવેલા મકાનોનો કાટમાળ દૂર કરવાની કામગીરી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.અમદાવાદ પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા એક લાખ પચાસ હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાંથી આ દબાણો દૂર કરાયા ...

મે 2, 2025 7:08 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં 1156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીની શતાબ્દી સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને સર્વાંગી વિકાસમાં અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરામાં એક હજાર 156 કરોડના 86 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે, શ્રી પટેલે જણાવ્યું કે સરકારે વર્ષ 2025થી 2035ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હીરક જયંતી મ...

મે 2, 2025 7:04 પી એમ(PM)

views 73

એરંડાના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું

એરંડાના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ફરી એકવાર ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન કુલ કુલ 6 લાખ 46 હજાર હેક્ટર વિસ્તારમાં એરંડાના વાવેતર સાથે ગુજરાતે સતત ચાર દાયકાથી દેશમાં પ્રથમ રહેવાના અનુક્રમને આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. વૈશ્વિક એરંડા બજારમાં ગુજરાતની સ...

મે 2, 2025 7:02 પી એમ(PM)

views 5

આવતીકાલથી 8 મે સુધી રાજ્યમાં પવન સાથે માવઠાની આગાહી

રાજયમાં આવતીકાલથી 8 મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં મહતમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદ...

મે 2, 2025 7:07 પી એમ(PM)

views 21

અમદાવાદના ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક- મુખ્ય આરોપી લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાના મુદ્દે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયમાં મળેલી આ બેઠકમાં અમદાવાદ વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા. દરમિયાન...

મે 2, 2025 7:00 પી એમ(PM)

views 9

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ

આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75' મા સ્થાપના દિવસની તીથીઅનુસાર ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે. સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું...

મે 2, 2025 7:59 એ એમ (AM)

views 10

સુજલામ સુફલામ્ જળ-અભિયાન અને કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાસકાંઠાના ચાર હજાર 804 કામોને મંજૂરી અપાઇ

બનાસકાંઠા જિલ્લામાં "સુજલામ સુફલામ્ જળ અભિયાન - કેચ ધ રેઇન 2.0-2025 " અંતર્ગત કુલ ચાર હજાર 804 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ ગ્રામ વિકાસ એજન્સીના 2 હજાર 960 વન વિભાગના 51, વોટર સેડ વિભાગના 4, નર્મદા યોજનાના 11, નગરપાલિકાના 80, જળસંપત્તિ વિભાગના ...

મે 2, 2025 7:41 એ એમ (AM)

views 11

પરવાના વિના પ્રેગાબલિન એપીઆઇ ડ્ર્ગ્સનું ઉત્પાદન અને વેચાણ કરવાનું અમદાવાદ અને અંકલેશ્વરમાંથી કૌભાંડ ઝડપાયું.

અમદાવાદ અને અંકલેશ્વર ખાતે કેમીકલના IUPAC નામે કોઇપણ પરવાના વગર બલ્ક ડ્રગ પ્રેગાબલિન એપીઆઇનું ઉત્પાદન અને વેચાણના ષડયંત્રનો ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પર્દાફાશ કર્યો છે.પ્રેગાબલિન એપીઆઇનું કેમીકલ ફેક્ટરીમાં ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરતી કંપનીઓમાં દરોડા પાડવામાં આવી હોવાનું રાજ્યના ખોરાક અને ઓષધ નિયમ...

મે 2, 2025 7:39 એ એમ (AM)

views 9

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, અંતર્ગત ગઇકાલે સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત ગરિમા ઍવોર્ડ એનાયત કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિનની સંધ્યાએ નવપલ્લવિત ગુજરાત શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગ પ્રસ્તુતી કરાઇ હતી. આ કાર્યક્રમમાં રાજયને ગૌરવ અપાવનાર છ વ્યક્તિ વિશેષનું ગુજરાત ગરિમા એવોર્ડ અને પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્...

મે 1, 2025 7:23 પી એમ(PM)

views 18

વેવ્ઝ 2025 નો આજથી આરંભ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા ભારત માટે આ ઉત્તમ સમય છે. મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન-વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ આ સંમેલનને સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને વૈશ્વિક જોડાણનું મોજું ગણાવ્યું. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.