પ્રાદેશિક સમાચાર

માર્ચ 28, 2025 3:37 પી એમ(PM) માર્ચ 28, 2025 3:37 પી એમ(PM)

views 4

જામનગર મનપા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશે. હાલમાં રણમલ તળાવમાં 50 કિલોવૉટના ચાર અને મનોરંજન ઉદ્યાનમાં 30 કિલો વૉટના બે સોલાર વૃક્ષ લગાવાયા છે. અહીં એક ગઝીબો લગાવવા માટેની કામગીરી ચાલી રહી છે, જે એપ્રિલ મહિનામાં કાર્યરત્ કરાશે.

માર્ચ 28, 2025 3:32 પી એમ(PM) માર્ચ 28, 2025 3:32 પી એમ(PM)

views 3

વિધાનસભામાં અંદાજપત્ર સત્રના છેલ્લા દિવસે આજે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થઈ

વિધાનસભામાં અંદાજપત્ર સત્રના છેલ્લા દિવસે આજે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થઈ હતી. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, પ્રશ્નોત્તરી કાળની બેઠકમાં ઉદ્યોગ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ, કુટિર, નાગરિક ઉડ્ડયન, માહિતી અને બાળવિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. રાજ્ય સરકારના પ્ર...

માર્ચ 28, 2025 10:17 એ એમ (AM) માર્ચ 28, 2025 10:17 એ એમ (AM)

views 3

આજની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 30 માર્ચનાં રોજ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.

રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે કાર્ય ચાલી રહ્યું હોવાથી આજની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 30 માર્ચનાં રોજ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.આ ઉપરાંત, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે.ટ્રેનના સમય અંગે વિગતવાર માહિતી માટે,...

માર્ચ 28, 2025 10:15 એ એમ (AM) માર્ચ 28, 2025 10:15 એ એમ (AM)

views 5

વેવ ઇન્ડિયા પરિષદના ભાગરૂપે દેશભરમાં યોજાઇ રહેલી વેવ એનીમે એન્ડ માંગા કોન્ટેસ્ટની રાજ્યકક્ષાની સ્પર્ધા ગઈકાલે ગાંધીનગરના કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી.

વેવ ઇન્ડિયા પરિષદના ભાગરૂપે દેશભરમાં યોજાઇ રહેલી વેવ એનીમે એન્ડ માંગા કોન્ટેસ્ટની રાજ્યકક્ષાની સ્પર્ધા ગઈકાલે ગાંધીનગરના કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. સ્પર્ધામાં એનીમે, માંગા અને વેબટુન એમ ત્રણ અલગ અલગ વિભાગોમાં વિદ્યાર્થી અને વ્યવસાયિકોની શ્રેણીમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. વિજેતા ...

માર્ચ 28, 2025 10:14 એ એમ (AM) માર્ચ 28, 2025 10:14 એ એમ (AM)

views 4

આવતીકાલથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.

આવતીકાલથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પરિક્રમા માર્ગ પર કોઈ પ્રકારનો ટ્રાફિક ચાલુ રાખવામાં નહીં આવે. તેમ જ રામપુરા ખાતે આવતા ટ્રાફિકને અન્ય સ્થળે ખસેડવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા પ્રકાશ સુંબેએ જણાવ્યું હતું.

માર્ચ 28, 2025 10:11 એ એમ (AM) માર્ચ 28, 2025 10:11 એ એમ (AM)

views 5

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોને જણાવાયું છે કે, ટ્રસ્ટની સત્તાવાર વૅબસાઈટ SOMNATH.ORG સિવાય કોઈ પણ માધ્યમથી ઑનલાઈન પૅમેન્ટ જમા ન કરાવવું.શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યારે...

માર્ચ 28, 2025 10:10 એ એમ (AM) માર્ચ 28, 2025 10:10 એ એમ (AM)

views 2

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો.

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. 30 માર્ચે ચૈત્ર સુદ એકમના દિવસે સવારે સવા નવ વાગ્યે ઘટસ્થાપન કરાશે, જેમાં સવારે સાતથી સાડા સાત વાગ્યા સુધી આરતી કરાશે. ભક્તો સાડા સાત વાગ્યાથી સાડા 11 સુધી દર્શન કરી શકશે.ત્યારબાદ બપોરે 12...

માર્ચ 28, 2025 10:08 એ એમ (AM) માર્ચ 28, 2025 10:08 એ એમ (AM)

views 1

બેટી બચાવો, બેટી પઢાવો” જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બેટી બચાવો, બેટી પઢાવો” જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગઈ કાલે વિશ્વ રંગભૂમિ દિવસ પ્રસંગે ગાંધીનગરમાં આયોજિત સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રીએ કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ રાજ્ય આશ્રિત નહીં પ...

માર્ચ 28, 2025 10:03 એ એમ (AM) માર્ચ 28, 2025 10:03 એ એમ (AM)

views 5

છેલ્લા એક મહિનામાં સાસણગીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો ઉછાળો.

છેલ્લા એક મહિનામાં સાસણગીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ સાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યા માત્ર 20 દિવસમાં વધીને 59 હજાર થઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં 18.8 ટકાનો વધારો દર્શાવે છે. તો બીજી તરફ બરડા સફારીની મુલાક...

માર્ચ 28, 2025 10:02 એ એમ (AM) માર્ચ 28, 2025 10:02 એ એમ (AM)

views 4

રાજ્ય વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો, 2025 પસાર.

વિધાનસભામાં ગઈ કાલે ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો 2025 પસાર કરાયો છે. ગૃહમાં ખરડો રજૂ કરતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958માં સુધારા કરાયા છે. ખરડા મુજબ, વડિલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.